ખાલિસ્તાની આતંકી પન્નૂનું નામ UAPAની યાદીમાં, છતા અમેરિકા સહિત ઈન્ટરપોલ શા માટે તેને બચાવે છે?

ભારતની આતંકવાદીઓની યાદીમાં નિજ્જર 12મા સ્થાને છે જ્યારે પન્નુ 11મા સ્થાને છે

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
ખાલિસ્તાની આતંકી પન્નૂનું નામ UAPAની યાદીમાં, છતા અમેરિકા સહિત ઈન્ટરપોલ શા માટે તેને બચાવે છે? 1 - image


Khalistani Terrorist Pannu: UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ 50 થી વધુ વ્યક્તિગત આતંકવાદીઓ છે, જેમાંથી મોટાભાગના ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા છે. ઘણા આતંકવાદીઓ કાશ્મીરમાં ઉગ્રવાદના સમર્થક હતા અને તેઓ ISIS સાથેના સંબંધો હોવાનું પણ માનવામાં આવે છે.

થોડા દિવસો પહેલા અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ પર ઇનપુટ જાહેર કર્યું હતું અને એક ભારતીય નાગરિક પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ભારત સરકારનું કહેવું છે કે તે આ મામલે તપાસ કરશે. આ પહેલા કેનેડા સરકારે પણ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા પર ભારત પર પ્રહારો કર્યા હતા. આ બંને લોકોને અમારી UAPAની યાદીમાં આતંકવાદીઓ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. જાણો, આ યાદીમાંના લોકોને કેવા પ્રકારની સજા મળે છે.

કેનેડા પછી અમેરિકાએ પણ લગાવ્યો આરોપ 

સપ્ટેમ્બરમાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદન બાદ ભારતે નારાજગી દર્શાવી હતી. આ પછી બંને દેશો વચ્ચે અઠવાડિયા સુધી તણાવ રહ્યો હતો. હજુ મામલો થાળે પણ પડ્યો ન હતો અને અમેરિકાએ પણ આવો આરોપ લગાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, ભારતીય મૂળના વ્યક્તિએ તેના નાગરિક પન્નુની હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. પન્નુ હાલ અમેરિકામાં છે અને ત્યાંથી ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો છે. આ ઉપરાંત તે ભારતને ખુલ્લેઆમ ધમકી પણ આપે છે.

આ લોકોને દેશ શા માટે આશરો 

આતંકીઓ અપરાધ કરીને અમેરિકા, કેનેડા કે બીજા દેશોમાં શરણ લે છે. જો ગુનેગાર ઘણા પૈસાનું કોભાંડ કરીને ભાગી જાય તો તેની પાસે સ્વાભાવિક રીતે પૈસા તો હોય જ. એક યા બીજી રીતે તે યજમાન દેશને ખાતરી આપે છે કે તે તેમાં રોકાણ કરશે.આ કારણે દેશો થોડા સમય માટે ગુનેગારોને સુરક્ષિત આશ્રય આપતા રહે છે. આ સિવાય ક્યારેક રાજકીય હિતો પણ હોય છે, જેમ કે બે દેશો વચ્ચે તણાવ હોય, અને શરણ માંગનાર વ્યક્તિ દુશ્મન દેશને કોઈ રીતે નબળો પાડી શકે, તો શરણાર્થી સરકાર પણ તેનો ઉપયોગ કરે છે.

ક્યારે આતંકીને શરણાર્થી દેશ સોંપી દે છે?

જો દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હોય તો જ તેમને પરત કરી શકાય છે. હાલમાં ભારતની લગભગ 50 દેશો સાથે આ સંધિ છે, જેમાં અમેરિકા પણ સામેલ છે. પરંતુ આમાં પણ ઘણી ગૂંચવણો છે. જેમકે જો, પન્નુએ અમેરિકન નાગરિકતા લીધી છે. આવી સ્થિતિમાં તેની સુરક્ષા અમેરિકન સરકારની જવાબદારી છે. જ્યાં સુધી ઈન્ટરપોલ તેની ધરપકડ માટે સીધું પૂછશે નહીં ત્યાં સુધી તે તેની સામે નહીં જાય.

ઇન્ટરપોલ કરી આ દલીલ 

ભારતે અત્યાર સુધીમાં બે વખત ઇન્ટરપોલને વિનંતી કરી છે, પરંતુ તેણે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. તેમની દલીલ એવી છે કે આ રાજકીય મામલો છે. ઈન્ટરપોલના ઇનકાર પછી, કેનેડા કે અમેરિકા, પન્નુ સામે કાર્યવાહી નહીં કરે, પરંતુ માત્ર તેનું રક્ષણ કરશે. અહીં સવાલ એ પણ ઊભો થાય છે કે જ્યારે પન્નુનું નામ ભારતની આતંકવાદી યાદીમાં છે તો પછી ઇન્ટરપોલ શા માટે અનિચ્છા બતાવી રહી છે? આનો જવાબ પણ મુશ્કેલ છે. ઘણા દેશો એવો આક્ષેપ કરે છે કે ઇન્ટરપોલ પણ અમેરિકાના પ્રભાવ હેઠળ કામ કરે છે.

શું છે યુપીએ કાયદો?

આતંકવાદી પ્રવૃતિઓને ડામવાનું કામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કરવામાં આવે છે. આ કામ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા કરવામાં આવે છે. તે ખાસ કરીને એવા ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે IPC હેઠળ નથી. અત્યાર સુધીમાં, UAPAને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે છ વખત સુધારો કરવામાં આવ્યો છે.

વિવિધ અપરાધોની વિવિધ સજા

 - જો કોઈ આતંકવાદી કેમ્પનું આયોજન કરે છે અથવા લોકોને ઉશ્કેરે છે તો તેને 5 વર્ષથી લઈને આજીવન કેદ થઈ શકે છે

- આતંકવાદીને આશ્રય આપવાથી 3 વર્ષથી લઈને આજીવન સુધી કેદ થઈ શકે છે

- જો કોઈ આતંકવાદી ગેંગ સાથે સીધો સંબંધ ધરાવે છે, તો તેને આજીવન કેદની સજા થશે

- સાક્ષીઓને ધમકાવવા માટે 3 વર્ષથી આજીવન કેદની જોગવાઈ છે

શું આ ગુનામાં જામીન આપી શકાય

આકેસમાં જામીન મેળવવું ખૂબ મુશ્કેલ છે. જો આતંકવાદી બીજા દેશનો હોય તો તેને કોઈપણ સંજોગોમાં જામીન નહીં મળે. તેમજ સરકાર ગુનેગારની સંપત્તિ જપ્ત કરી શકે છે. અથવા તે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી તેના પર કોઈપણ નિર્ણય લઈ શકે છે.

ખાલિસ્તાની આતંકી પન્નૂનું નામ UAPAની યાદીમાં, છતા અમેરિકા સહિત ઈન્ટરપોલ શા માટે તેને બચાવે છે? 2 - image


Google NewsGoogle News