'હિન્દુ-બોદ્ધ પણ ધાર્મિક ફોબિયાના શિકાર થઈ રહ્યા છે: UNમાં ઈસ્લામોફોબિયા અંગેના પાકિસ્તાનના પ્રસ્તાવથી દૂર રહ્યું ભારત

- ગુરુદ્વારા, મઠો અને મંદિરો જેવા ધાર્મિક સ્થળો પર વધતા હુમલાઓથી એ સ્પષ્ટ થાય છે કે ફોબિયાથી કેવી રીતે અન્ય ધર્મો પણ પ્રભાવિત છે: રુચિરા કંબોજ

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
'હિન્દુ-બોદ્ધ પણ ધાર્મિક ફોબિયાના શિકાર થઈ રહ્યા છે: UNમાં ઈસ્લામોફોબિયા અંગેના પાકિસ્તાનના પ્રસ્તાવથી દૂર રહ્યું ભારત 1 - image


Image Source: Twitter

ન્યુયોર્ક, તા. 16 માર્ચ 2024, શનિવાર

ફોબિયા માત્ર અબ્રાહમિક ધર્મો પૂરતો મર્યાદિત નથી. એવા ઘણા પુરાવા છે જેના દ્વારા સમજી શકાય છે કે, બિન-અબ્રાહમિક ધર્મો પણ તેનાથી પ્રભાવિત છે. ભારતે શુક્રવારે યૂનાઈટેડ નેશનમાં યહૂદી-વિરોધી, ક્રિશ્ચિયનોફોબિયા અથવા ઈસ્લામોફોબિયાની નિંદા કરી પરંતુ હિન્દુ, બોદ્ધ અને સીખોને પ્રભાવિત કરનારા ફોબિયા પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે, અબ્રાહમિક ધર્મો ઉપરાંતના ધાર્મિક ભયને ઓળખવાની જરૂર છે.

UNમાં ઈસ્લામોફોબિયા અંગેના પાકિસ્તાનના પ્રસ્તાવથી દૂર રહ્યું ભારત

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈસ્લામોફોબિયાનો સામનો કરવા અંગે પાકિસ્તાનને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેનાથી ભારત દૂર રહ્યું હતું.  યૂનાઈટેડ નેશનમાં ભારતની સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે, બહુલવાદના એક પ્રાઉડ ચેમ્પિયન તરીકે, ભારત તમામ ધર્મો અને તમામ ધર્મોના સમાન સંરક્ષણ અને પ્રચારના સિદ્ધાંતને મજબૂતીથી જાળવી રાખે છે. એ સ્વીકાર કરવો પણ જરૂરી છે કે, ફોબિયા અબ્રાહમિક ધર્મો કરતા પણ વધુ ફેલાયેલો છે.

રુચિરા કંબોજે કહ્યું કે દાયકાઓના પુરાવા દર્શાવે છે કે બિન-અબ્રાહમિક ધર્મોમાં માનનારા લોકો પણ ધાર્મિક ફોબિયા એટલે કે ડરથી પ્રભાવિત થયા છે. ખાસ કરીને હિંદુ વિરોધી, બૌદ્ધ વિરોધી અને શીખ વિરોધી તત્વો પણ સામે આવ્યા છે. ગુરુદ્વારા, મઠો અને મંદિરો જેવા ધાર્મિક સ્થળો પર વધતા હુમલાઓથી એ સ્પષ્ટ થાય છે કે ફોબિયાથી કેવી રીતે અન્ય ધર્મો પણ પ્રભાવિત છે. 

115 દેશોએ પક્ષમાં મતદાન કર્યું અને 44 દેશો તેનાથી દૂર રહ્યા

193 સભ્યની યુએનજીએ પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવ ઈસ્લામોફોબિયાનો સામનો કરવાના ઉપાયને એડોપ્ટ કર્યો તેના પર 115 દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું. કોઈ પણ દેશે તેનો વિરોધ નથી કર્યો. જોકે, ભારત, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, યુક્રેન અને બ્રિટન સહિત 44 દેશો આ પ્રસ્તાવ પર મતદાન કરવાથી દૂર રહ્યા હતા.

ભારતે ભારપૂર્વક કહ્યું કે પ્રસ્તાવને અપનાવવાથી એવી મિસાલ કાયમ ન થવી જોઈએ જેનાથી ચોક્કસ ધર્મો સાથે સંબંધિત પ્રસ્તાવો પણ સામે આવે જે સંભવિત રીતે યૂનાઈટેડ નેશનને ધાર્મિક શિબિરોમાં વિભાજિત કરી શકે. રુચિરા કંબોજે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર માટે એ જરૂરી છે કે તે એવી ધાર્મિક ચિંતાઓથી ઉપર પોતાનું સ્ટેન્ડ બનાવે જે વિશ્વને એક વૈશ્વિક પરિવાર તરીકે સ્વીકારીને શાંતિ અને સદ્ભાવના બેનર હેઠળ એક થવાને બદલે આપણને વિભાજિત કરવાની ક્ષમતા ધરાવે છે.


Google NewsGoogle News