બ્રિટનના 10 લાખ હિંદુઓ નારાજ કેમ છે, ચૂંટણી લડનારા રાજકીય પક્ષો પાસે શું છે તેમની મુખ્ય માગ?

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
બ્રિટનના 10 લાખ હિંદુઓ નારાજ કેમ છે, ચૂંટણી લડનારા રાજકીય પક્ષો પાસે શું છે તેમની મુખ્ય માગ? 1 - image


British Hindus launch manifesto of demands: બ્રિટનમાં ચાર જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ બ્રિટનના હિન્દુઓએ ભાવિ સરકાર માટે પોતાની માંગ દર્શાવતો મેનિફેસ્ટો જારી કરવામાં આવ્યો છે. પ્રથમ વખત બ્રિટનના હિન્દુઓએ 32 પાનાના ઘોષણાપત્ર દ્વારા પોતાની અપેક્ષાઓ રજૂ કરી છે. હિન્દુ ફોર ડેમોક્રેસી દ્વારા જારી કરવામાં આવેલા આ મુસદ્દામાં હિન્દુઓ વિરૂદ્ધ ઘૃણા અટકાવવી અને મંદિરોની સુરક્ષા સામેલ છે.

'હિન્દુસ ફોર ડેમોક્રેસી' એ 15 હિંદુ સંગઠનોનું એક જૂથ છે, જેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા, ચિન્મય મિશન, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નું યુકે ચેપ્ટર, હિંદુ કાઉન્સિલ યુકે, હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, હિન્દુ ટેમ્પલ નેટવર્ક યુકે, નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ મંદિરોનો સમાવિષ્ટ છે. અને ઇસ્કોન યુ.કે. અત્યાર સુધી કન્ઝર્વેટિવ પાર્ટીના ચાર ઉમેદવારો બોબ બ્લેકમેન, રોબર્ટ બકલેન્ડ, રહીશ સિંહ અને ટેરેસા વિલિયર્સે આ મેનિફેસ્ટોને સમર્થન આપ્યું છે. X (અગાઉ ટ્વિટર) પર તેની માંગણીઓ શેર કરતા, જૂથે કહ્યું કે તેણે આવનારી સરકાર સમક્ષ 'સાત વચનો' માંગ્યા છે.

બ્રિટનમાં હિન્દુઓની 10 લાખથી વધુ વસતી 

બ્રિટનમાં 10 લાખથી વધુ હિન્દુઓ છે. 2021ની વસ્તી ગણતરી મુજબ, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હિન્દુઓની સંખ્યા 1,032775 છે. આ કુલ વસ્તીના 1.7 ટકા છે. હિન્દુ ધર્મ બ્રિટનનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. તે ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ પછી ત્રીજા સ્થાને છે. વસ્તીગણતરી મુજબ મોટા ભાગના હિન્દુઓ ગ્રેટર લંડન અને સાઉથ ઈસ્ટમાં રહે છે. યુનાઇટેડ કિંગડમના અન્ય ત્રણ દેશોમાં હિન્દુઓની વસ્તી 50,000થી ઓછી છે. 19મી સદીની શરૂઆતથી હિંદુઓએ યુનાઇટેડ કિંગડમમાં સ્થાયી થવાનું શરૂ કર્યું. આ તે સમય હતો જ્યારે ભારત બ્રિટિશ સામ્રાજ્યનો એક ભાગ હતો.

આ છે 'હિન્દુ મેનિફેસ્ટો'ની મુખ્ય માગ 

  •  હિંદુ વિરોધી નફરતને ધાર્મિક ધૃણાના ગુનાના રૂપમાં માન્યતા આપો અને આવો ગુનો કરનારાને કડક સજા કરો 
  • હિંદુ પૂજા સ્થળો અને મંદિરોને પૂરતી સુરક્ષા આપો. હિંદુ પૂજારીઓના વિઝા સહિતના મુદ્દાનો ઉકેલ લાવો. 
  • હિંદુ આસ્થાના સ્થળોની સ્થાપના અને શૈક્ષણિક અભ્યાસક્રમ બનાવો ત્યારે નિષ્ણાતોને સામેલ કરો. 
  • રાજકીય પક્ષો અને અન્ય જાહેર સંસ્થાઓમાં હિંદુઓનું પ્રતિનિધિત્વ વધારો. 
  • સામાજિક સેવામાં હિંદુઓને સામેલ કરો અને વડીલો-વિકલાંગોની દેખભાળનું સમર્થન કરો. 
  • હિંદુઓ સંબંધિત કાયદા બનાવતા પહેલા હિંદુ સંગઠનો સાથે પણ ચર્ચાવિમર્શ કરો. 
  • બ્રિટનની સેવા કરનારા હિંદુ સૈનિકો માટે એક સ્મારક પણ હોવું જોઈએ. 
  • બ્રિટનમાં વધુ સ્મશાનો બનાવો અને અગ્નિ સંસ્કારની મંજૂરી આપવાની પ્રક્રિયા ઝડપી બનાવો. 

મેનિફેસ્ટોમાં બીજું શું છે?

'ઘોષણાપત્ર'માં સાંસદોને બ્રિટનમાં હિંદુઓને લગતા મુદ્દાઓ પર કાયદો બનાવતા પહેલા હિંદુ સંગઠનોની સલાહ લેવા માટે કહેવામાં આવ્યું છે. બ્રિટનમાં સેવા આપનાર હિન્દુ સૈનિકોના સ્મારક માટે હિમાયત કરવામાં આવી છે અને માંગણી કરવામાં આવી છે કે વધુ સ્મશાન બનાવવામાં આવે અને મૃત્યુના ત્રણ દિવસની અંદર હિન્દુ અગ્નિસંસ્કારની મંજૂરી આપવા માટે કોરોનરની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે. ઘોષણાપત્રમાં ઉમેદવારોને એ ઓળખવા માટે પણ કહેવામાં આવ્યું છે કે બ્રિટનના હિંદુઓનું ભારત સાથેનું જોડાણ મુખ્યત્વે રાજકીયને બદલે આધ્યાત્મિક છે અને ઉમેદવારોને 'ધાર્મિક જીવન પદ્ધતિને સમજવાનું' સૂચન કરે છે.

યુકેમાં જાતિગત ભેદભાવ વધુ

યુકેમાં અંદાજિત 50,000 - 200,000 લોકોને 'નીચી જાતિ' તરીકે ઓળખે છે અને જાતિ ભેદભાવના જોખમમાં છે. રોજગાર, શિક્ષણ અને સર્વિસ સેક્ટરમાં જાતિ-આધારિત ભેદભાવ અને શોષણ વધ્યું છે. યુકેમાં પહેલાથી જ હિંદુઓ અને અન્ય તમામ લોકોના ધર્મ અથવા આસ્થાના આધારે ભેદભાવ અને ઘૃણાના અપરાધ સામે રક્ષણ આપે છે. પરંતુ ચોક્કસ જાતિ આધારિત સમાનતાનો કાયદો કે ઘૃણા વિરૂદ્ધ રક્ષણની કોઈ જોગવાઈ નથી.

એનએસએસએ ટીકા કરી

 હિંદુ મેનિફેસ્ટોની જાહેરાત બાદ, સેક્યુલરિઝમની હિમાયત કરતી સદી જૂની સંસ્થા નેશનલ સેક્યુલર સોસાયટી (NSS)એ તેની ટીકા કરી અને કહ્યું કે આવનારી સરકારે આ માંગણીઓને ફગાવી દેવી જોઈએ. NSSએ કહ્યું કે, જો હિંદુ સંગઠનોની માંગ પૂરી કરવામાં આવશે તો જાતિ અને મહિલા સંબંધિત મુદ્દાઓ પર માનવાધિકાર કાર્યકર્તાઓના કામને નુકસાન થશે. NSSએ કહ્યું કે આ માંગણીઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાને અવરોધે છે.

  બ્રિટનના 10 લાખ હિંદુઓ નારાજ કેમ છે, ચૂંટણી લડનારા રાજકીય પક્ષો પાસે શું છે તેમની મુખ્ય માગ? 2 - image


Google NewsGoogle News