પાકિસ્તાની આર્મી ચીફના નિવેદનથી રાજકીય પક્ષોના ધબકારાં વધ્યાં, ફરી સેનાની ‘પીઠ્ઠુ’ સરકાર બનશે?

કોની સરકાર રચાશે તેને લઇને પણ હવે સંકેત મળવા લાગ્યા છે

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાની આર્મી ચીફના નિવેદનથી રાજકીય પક્ષોના ધબકારાં વધ્યાં, ફરી સેનાની ‘પીઠ્ઠુ’ સરકાર બનશે? 1 - image

image : Twitter



Pakistan election Results 2024 | પાકિસ્તાનમાં આ વખતે કોઈની પણ બહુમતી ધરાવતી સરકાર બનતી દેખાઈ રહી નથી. ત્યારે નવાઝ શરીફ અને ઈમરાન ખાન બંને પોત-પોતાની રીતે સરકાર રચવાનો દાવો કરી ચૂક્યા છે. આ દરમિયાન પીટીઆઈના સમર્થકોનો દાવો છે કે બહુમતી તેમની પાસે છે. આ સૌની વચ્ચે પાકિસ્તાનન સૈન્ય વડા જનરલ મુનીરના નિવેદનથી રાજકીય પક્ષોના ધબકારાં વધી ગયા છે અને કોની સરકાર રચાશે તેને લઇને પણ હવે સંકેત મળવા લાગ્યા છે. 

શું કહ્યું પાકિસ્તાની સૈન્ય વડા મુનીરે? 

પાકિસ્તાનના સૈન્ય વડા જનરલ આસીમ મુનીરે રાજકીય પક્ષોના નેતાઓને એક સલાહ આપતાં કહ્યું છે કે, ‘તમારે સ્વાર્થથી હટીને વિચારવાની જરૂર છે.’  પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન તરફથી જણાવાયું કે સૈન્ય વડાએ કહ્યું છે કે, ‘જો દેશહિતમાં તમામ લોકશાહી પક્ષો એકજૂટ થાય તો દેશ માટે સારો મેસેજ જશે.’

સૈન્ય નવાઝનું સમર્થન કરે છે... 

ઉલ્લેખનીય છે કે સૈન્યની ઈચ્છા છે કે, નવાઝ શરીફ ફરી વડાપ્રધાન બને. જ્યારે પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો નવાઝ શરીફને પસંદ નથી કરતા. એવામાં ગઠબંધન વચ્ચે તકલીફો પેદા થઈ શકે છે. જ્યારે પીએમએલ-એન પાસે પીપીપી સાથે ગઠબંધન કરવાનો જ એકમાત્ર રસ્તો છે. આ વાતને લઈને જ સૈન્ય પ્રમુખ સ્વાર્થથી હટીને વિચારવાની અપીલ કરી રહ્યા હોય તેવું લાગે છે. 

નવાઝ શરીફ અને ઈમરાન ખાને કર્યા જીતના દાવા 

નવાઝ શરીફે પીએમએલ-એનની જીતનો દાવો કર્યો છે અને કહ્યું છે કે તેઓ ગઠબંધન સરકાર બનાવશે. ઈમરાન ખાને એઆઈ દ્વારા વિજયી ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે, ‘અમને બે તૃતિયાંશ બહુમતી મળવા જઈ રહી છે.’ આ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં દોષિત જાહેર થયા બાદ ઈમરાન ખાન પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ સિવાય તેમની પાર્ટીનું નામ અને ચિહ્ન પણ છીનવી લેવામાં આવ્યું હતું. બાદમાં ઈમરાન ખાનના સમર્થકોએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. 

પાકિસ્તાની આર્મી ચીફના નિવેદનથી રાજકીય પક્ષોના ધબકારાં વધ્યાં, ફરી સેનાની ‘પીઠ્ઠુ’ સરકાર બનશે? 2 - image



Google NewsGoogle News