Get The App

બાંગ્લાદેશનું વહીવટીતંત્ર ઈન્ટરપોલના સંપર્કમાં, શેખ હસીના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરાશે?

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
બાંગ્લાદેશનું વહીવટીતંત્ર ઈન્ટરપોલના સંપર્કમાં, શેખ હસીના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરાશે? 1 - image


Red Corner Notice will be Issued Against Sheikh Hasina: બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધી શકે છે. બાંગ્લાદેશની પોલીસ શેખ હસીના સામે કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશ પોલીસના નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCB)એ ઈન્ટરપોલને 12 લોકો સામે રેડ કોર્નર નોટિસ આપવા વિનંતી કરી છે. આ યાદીમાં પદભ્રષ્ટ વડાંપ્રધાન શેખ હસીનાનું નામ પણ સામેલ છે.

શેખ હસીના ભારતમાં આશ્રય લઈ રહ્યા છે... 

મળતી માહિતી મુજબ, 77 વર્ષીય શેખ હસીના ગયા વર્ષે 5 ઓગસ્ટથી ભારતમાં રહે છે. રાજધાની ઢાકામાં થયેલા હિંસક વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીના બાંગ્લાદેશથી ભાગી ભારત આવી પહોંચ્યા હતા. આ ચળવળથી તેમના પક્ષ અવામી લીગ (AL)ના 16 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. 

આ પણ વાંચોઃ રશિયન પ્રમુખ પુતિનનું મોટું એલાન, ઈસ્ટરના અવસરે યુક્રેન વિરુદ્ધ યુદ્ધવિરામની જાહેરાત

અહેવાલ અનુસાર, NCB આવી અરજીઓ પર કોર્ટ, સરકારી વકીલ અથવા તપાસ એજન્સીઓની અપીલના આધારે કાર્યવાહી કરે છે. પોલીસના હેડક્વાર્ટરમાં સહાયક પોલીસ મહાનિરીક્ષક (મીડિયા) એનામુલ હક સાગરે જણાવ્યું હતું કે, "આ અરજીઓ તપાસ દરમિયાન અથવા કોઈપણ ચાલુ કેસની કાર્યવાહીમાં ઉદ્ભવતા આરોપોના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે."

આ પણ વાંચોઃ બ્રિટનની જેલો પર ઇસ્લામિક કટ્ટરવાદી કેદીઓનો કબજો, જેલ અધિકારીઓ પર કરે છે ક્રૂર હુમલા

ઈન્ટરપોલની રેડ નોટિસ કેમ અપાય છે? 

ઈન્ટરપોલ દ્વારા રેડ નોટિસનો ઉપયોગ કોઈ વ્યક્તિની અસ્થાયી રૂપે ધરપકડ કરવા માટે કરવામાં આવે છે, જેથી પ્રત્યાર્પણ અથવા અન્ય કાનૂની કાર્યવાહી શરૂ કરી શકાય. ઈન્ટરપોલ વિદેશમાં રહેતા ભાગેડુઓને શોધવામાં મદદ કરે છે અને એકવાર પુષ્ટિ થયા બાદ, માહિતી સંબંધિત અધિકારીઓ સાથે શેર કરવામાં આવે છે.

Tags :