'લઘુમતીઓની સુરક્ષાની જવાબદારી અમારી...' હિન્દુઓ પર હુમલા રોકવામાં નિષ્ફળ નવી સરકારે માફી માંગી

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
Muhammad Yunus


Bangladesh Political Crisis: બાંગ્લાદેશમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. જેમાં હવે વિરોધીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. ઘણી જગ્યાએ લઘુમતીઓ પર પણ હુમલા થયા છે. ભારતે આ અંગે બાંગ્લાદેશની નવી સરકાર સામે વાંધો વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન, બાંગ્લાદેશની વચગાળાની સરકારે હિન્દુઓ પર હુમલા રોકવામાં નિષ્ફળતા બદલ માફી માંગી છે.

હિન્દુએ પોતાની સુરક્ષાની માંગ કરી

રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશ સરકારને હચમચાવી દીધી હતી. આના પર શેખ હસીનાએ ઉતાવળે પીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને પછી તેઓ ઢાકાથી ભારત આવ્યા. સત્તા પરથી તેમની હકાલપટ્ટી પછી પણ અરાજકતાનો માહોલ યથાવત છે. વિરોધીઓ હિન્દુ સમુદાયના લોકો પર હુમલો કરી રહ્યા છે અને મંદિરોમાં તોડફોડ કરી રહ્યા છે. તેના વિરોધમાં હિન્દુઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોતાની સુરક્ષાની માંગ કરી હતી.

વચગાળાની સરકાર લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી 

બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) હુસૈને લઘુમતીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેવા બદલ હિન્દુઓની માફી માંગતા કહ્યું કે, 'લઘુમતી ભાઈઓની સુરક્ષા કરવી આપણી સરકારની જવાબદારી અને અંતિમ ફરજ છે.'

આ પણ વાંચો: લોકસભાની ભૂલથી બચી રહ્યો છે ભાજપ, ઉમેદવારોની પસંદગીમાં અપનાવશે હવે આ ફોર્મ્યૂલા

ગૃહ મંત્રાલયના સલાહકારે હિન્દુ સમુદાયની માફી માંગી

સખાવત હુસૈને વધુમાં કહ્યું કે, 'લઘુમતીઓનું રક્ષણ કરવું એ આપણા ધર્મનો ભાગ છે. હું આપણા હિન્દુ ભાઈઓની માફી માંગું છું. અત્યારે દેશ અરાજકતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. પોલીસની હાલત સારી નથી, આથી હું સમાજના લોકોને અપીલ કરું છું કે લઘુમતીમાં આવતા લોકો આપણા ભાઈઓ છે અને તમામ લોકો સાથે મળીને મોટા થયા છીએ. આવી સ્થિતિમાં તેમની સુરક્ષા કરવાની જવાબદારી આપણી છે.'

'લઘુમતીઓની સુરક્ષાની જવાબદારી અમારી...' હિન્દુઓ પર હુમલા રોકવામાં નિષ્ફળ નવી સરકારે માફી માંગી 2 - image


Google NewsGoogle News