લગ્ન કરવા પાકિસ્તાન પહોંચી ગયેલી અંજૂને હવે ભારત પાછુ આવવુ છે, ચોધાર આંસુએ રડી રહી છે

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
લગ્ન કરવા પાકિસ્તાન પહોંચી ગયેલી અંજૂને હવે ભારત પાછુ આવવુ છે, ચોધાર આંસુએ રડી રહી છે 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 24 સપ્ટેમ્બર 2023

પાકિસ્તાનના નાગરિક સાથે લગ્ન કરવા માટે ભારત છોડી ગયેલી અંજૂ થોડા દિવસો પહેલા ભારે ચર્ચાનો વિષય બની હતી.

જોકે હવે પાકિસ્તાનના નાગરિક નસરુલ્લાહ સાથે લગ્ન કરનાર અંજૂને અસલિયતની ખબર પડી રહી છે. તે ગમે તે હિસાબે ભારત પાછી આવવા માંગે છે. અંજૂના પતિ નસરુલ્લાહે કહ્યુ છે કે, અંજૂ આજકાલ રડી રહી છે. તેને અમે ભારત પાછી મોકલવાની તૈયારી કરી રહ્યા છે. જો ભારતીય દૂતાવાસ મંજૂરી આપશે તો એક સપ્તાહમાં તે ભારત પાછી ફશે.

અંજૂ જુલાઈ મહિનામાં પાકિસ્તાન પહોંચી હતી. ત્યારે તેણે દાવો કર્યો હતો કે, હું તો નસરુલ્લાહને માત્ર મળવા માટે આવી છું. મારો પાકિસ્તાનમાં રોકાવાનો કે તેની સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. જોકે પાછળથી તેણે નસરુલ્લાહ સાથે લગ્ન કરી લીધા હતા. પાકિસ્તાનમાં પણ આ લગ્ને સૌ કોઈનુ ધ્યાન ખેંચ્યુ હતુ. પાકિસ્તાની સરકારે તેનો વિઝા વધારીને એક વર્ષનો કરી આપ્યો હતો.

હવે નસરુલ્લાહનુ કહેવુ છે કે, અંજૂ બહુ રડી રહી છે. તેને પોતાના બાળકોની યાદ આવી રહી છે. તે બાળકોને મળવા માટે ભારત આવવા માંગે છે.

બીજી તરફ અંજૂના પતિએ તેની સામે રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે પોતાને જાનનો ખતરો હોવાનો ડર વ્યક્ત કર્યો છે અને કહ્યુ છે કે, અંજૂ અને નસરુલ્લાહ મારી હત્યા કરી શકે છે. આમ જો અંજૂ ભારત પાછી પણ આવશે તો તેને કાયદાકીય પડકારોનો સામનો કરવો પડશે.



Google NewsGoogle News