Get The App

રોહિંગ્યાઓને આ મુસ્લિમ દેશના લોકોએ પગ પણ મૂકવા ન દીધો, કહ્યું - 'જ્યાં ગયા ત્યાં અશાંતિ ફેલાવી..'

Updated: Oct 24th, 2024


Google News
Google News
રોહિંગ્યાઓને આ મુસ્લિમ દેશના લોકોએ પગ પણ મૂકવા ન દીધો, કહ્યું - 'જ્યાં ગયા ત્યાં અશાંતિ ફેલાવી..' 1 - image
Representative image

Rohingya Muslims in Indonesia: ઈન્ડોનેશિયામાં મોટી સંખ્યામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા રોહિંગ્યા મુસ્લિમોને સ્થાનિક લોકોએ બોટમાંથી ઉતરવાની મંજૂરી આપી ન હતી. 140 ભૂખ્યા રોહિંગ્યા મુસ્લિમો ઈન્ડોનેશિયાના ઉત્તરીય પ્રાંત આચેના દરિયાકાંઠે બોટમાં ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આમાં મોટે ભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે જેમને સ્થાનિક રહેવાસીઓ દ્વારા નીચે ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

ત્રણ રોહિંગ્યાના મોત થયા

સ્થાનિક પોલીસના જણાવ્યાનુસાર, 'બાંગ્લાદેશના કોક્સ બજારથી દક્ષિણ આચે જિલ્લાના લાબુહાન હાજીના દરિયાકાંઠે લગભગ બે સપ્તાહની મુસાફરી દરમિયાન ત્રણ રોહિંગ્યાના મોત થયા હતા. અધિકારીઓએ રવિવારથી 11 રોહિંગ્યાની તબિયત બગડતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.'

આ પણ વાંચો: 'બસ મોતનું બહાનું જ ચાલશે...' કર્મચારીના અકસ્માત અંગે બોસનું રિએક્શન, સો.મીડિયા પર લોકો ભડક્યાં


આચેના માછીમારી સમુદાયના વડા મોહમ્મદ જબાલે જણાવ્યું હતું કે, 'અમારા માછીમારી સમુદાયે તેમને અહીં ઉતરવાની મંજૂરી આપી ન હતી કારણ કે અમે નથી ઈચ્છતા કે અન્ય સ્થળોએ જે બન્યું તે અહીં થાય. તેઓ જ્યાં પણ ગયા ત્યાં સ્થાનિક લોકોમાં અશાંતિ ફેલાય હતી.'

બાંગ્લાદેશથી આવી હતી બોટ

પોલીસના જણાવ્યા અનુસાર, બોટમાં 216 લોકો સવાર હતા જ્યારે તે બાંગ્લાદેશથી નીકળી હતી અને તેમાંથી 50 ઇન્ડોનેશિયાના રિયાઉ પ્રાંતમાં ઉતર્યા હતા.

લગભગ 10 ટકા મુસ્લિમ રોહિંગ્યા મ્યાનમારના શરણાર્થીઓ તરીકે બાંગ્લાદેશમાં રહે છે. આમાં આશરે 740,000 લોકોનો સમાવેશ થાય છે જેઓ 2017 માં ક્રૂર હિંસા પછી મ્યાનમાર ભાગી ગયા હતા. મ્યાનમારમાં રોહિંગ્યા લઘુમતી વ્યાપક ભેદભાવનો સામનો કરી રહી છે અને મોટાભાગના લોકોને નાગરિકતા આપવામાં આવી રહી નથી.

રોહિંગ્યાઓને આ મુસ્લિમ દેશના લોકોએ પગ પણ મૂકવા ન દીધો, કહ્યું - 'જ્યાં ગયા ત્યાં અશાંતિ ફેલાવી..' 2 - image

Tags :
Rohingya-MuslimsIndonesia

Google News
Google News