જાંબુના બીજનું સેવન તમને આ સમસ્યાઓથી છૂટકારો અપાવશે...
- જાણો, આયુર્વેદિક જડ્ડી-બૂટી સમાન જાંબુના જબરદસ્ત ફાયદાઓ વિશે...
નવી દિલ્હી, તા. 14 ઑક્ટોબર 2020, બુધવાર
જાંબુ, જેને 'ઈન્ડિયન બ્લેકબેરી' પણ કહેવાય છે, એક આયુર્વેદિક જડ્ડી-બૂટી સમાન છે, કારણ કે આ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. સામાન્ય રીતે તો આ ગરમીઓનું ફળ છે, જે લૂ લાગવાથી બચે છે, પરંતુ તેના કેટલાય ફાયદા છે. વિટામિન-A, વિટામિન-સી, કેલ્સિયમ, આયરન, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર આ ફળ મોંઢાના છાલા, એનીમિયા, સંધિવા અને લિવરની સમસ્યામાં પણ રાહત આપવાનું કામ કરે છે.. સામાન્ય રીતે મોટાભાગના લોકો જાંબુ ખાઇને તેના બીજને બેકાર સમજીને ફેંકી દેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે જાંબુની જેમ જ તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, જે કેટલીય સમસ્યાઓથી છૂટકારો અપાવી શકે છે. જાણો, તેના ફાયદાઓ વિશે...
ડાયાબિટીસમાં ફાયદાકારક છે જાંબુના બીજ
ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ અને તેના બીજ બંને જ ફાયદાકારક હોય છે. આયુર્વેદ અનુસાર, જાંબુનો સ્વાદ વારંવાર પેશાબ આવવાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. વર્ષ 2017માં એશિયન પેસેફિક જર્નલ ઑફ ટ્રૉપિકલ બાયોમેડિસિનમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે જાંબુના બીજ લોહીમાં ગ્લૂકોઝના સ્તરને ઘટાડવામાં અને ઇન્સ્યુલિનના પ્રમાણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશરમાં પણ અસરકારક છે જાંબુના બીજ
હાઇ બ્લડ પ્રેશર અથવા હાઇપરટેન્શનની સમસ્યાથી પીડિત લોકો માટે જાંબુના બીજ વરદાન સમાન છે. હકીકતમાં તેમાં ઇલાજિક એસિડનું નામ ફેનૉલ એન્ટી-ઑક્સીડેન્ટ મળી આવે છે જે બ્લડ પ્રેશર લેવલના ઉતાર-ચઢાવને રોકવામાં મદદ કરે છે. આ સાથે જ હાઇ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરવાનું કામ કરે છે.
પેટની સમસ્યાઓમાં ફાયદાકારક છે જાંબુના બીજ
જાંબુના બીજ પાચનશક્તિથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેના પાઉડરને નિયમિત રીતે સેવન કરવાથી પેટ સાફ રહે છે, જેનાથી કબજિયાતની પરેશાની થતી નથી. આ સાથે જ જાંબુના બીજ ડાયેરિયા, પેચિસ અને આંતરડામાં અલ્સરની સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
લોહીને સાફ રાખવામાં મદદ કરે છે જાંબુના બીજ
જાંબુના બીજ લોહીને સાફ કરવામાં મદદ કરે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢીને શરીરને સાફ-સુથરું બનાવે છે. આ સાથે જ આ લોહીની ઉણપથી થતી બીમારી એનીમિયાથી પણ બચાવવામાં મદદ કરે છે. એટલા માટે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં એક ચમચી જાંબુના બીજના પાઉડરનું સેવન કરો. પરંતુ કોઇ પણ વસ્તુનું સેવન કરતાં પહેલા પોતાના ડોક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.