ડાયાબિટીસ: આ સુગંધિત પત્તા આપશે બ્લડ સુગરમાં રાહત, જાણો તેનું સેવન કેવી રીતે કરવું

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
ડાયાબિટીસ: આ સુગંધિત પત્તા આપશે બ્લડ સુગરમાં રાહત, જાણો તેનું સેવન કેવી રીતે કરવું 1 - image


નવી દિલ્હી,તા. 2 નવેમ્બર 2023, ગુરુવાર 

દેશમાં ડાયાબિટીસના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. આ રોગ માનવ શરીરને ખોખલું બનાવી દે છે. શરીર સાવ શુષ્ક અને નબળું થઈ જાય છે. એટલું નબળું કે વ્યક્તિનું શરીર પોતાના જ ઘાને પણ મટાડી શકતું નથી. આ એક એવો રોગ છે જેનો કોઈ કાયમી ઈલાજ નથી. જીવનશૈલી અને ખાનપાન દ્વારા જ તેને નિયંત્રિત કરી શકાય છે. 

ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતૂ ડાયાબિટીસના દર્દીઓ માટે તમાલપત્ર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

આયુર્વેદમાં તમાલપત્રને ઔષધી ગણવામાં આવે છે. રસોડામાં, તેનો ઉપયોગ સીઝનીંગ માટે થાય છે પરંતુ આના ઘણા આયુર્વેદિક ફાયદા પણ છે. આ છોડ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે.

તમાલપત્ર બ્લડ સુગર માટે ફાયદાકારક છે

તમાલપત્રમાં પોલીફેનોલ પણ જોવા મળે છે. આ ગ્લુકોઝના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે બ્લડ સુગરના દર્દીઓમાં ઇન્સ્યુલિનની વધતી અને ઘટતી માત્રાને નિયંત્રિત કરવા માટે પણ કામ કરે છે. 

આ પાનમાં વિટામિન-એ અને વિટામિન-સી મળી આવે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. તેના પાન લીચીના પાન જેવા હોય છે. ડોકટરો આ પાનની ચા પીવાની સલાહ આપે છે. 

કેવી રીતે કરવું સેવન?

તમાલપત્રને પાઉડર સૂપ, આખા પાન અથવા નાના ટુકડા ચોખા કે પુલાવ અને કઠોળ વગેરેમાં વાપરી શકાય છે. આ સિવાય એલોવેરા જ્યુસ સાથે તમે થોડી હળદર અને તમાલપત્રને પીસીને સવારે ખાલી પેટ ખાઈ શકો છો. આનાથી ખાધા પછી પણ તમારી બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે.


Google NewsGoogle News