મીઠા લીમડાના પાનના સેવનથી થાય છે આ ગજબના ફાયદા
Image :Freepik
નવી દિલ્હી,તા. 26 સપ્ટેમ્બર 2023,મંગળવાર
દરરોજ 10-15 મીઠા લીમડાના પાન ખાવાથી શરીરને અગણિત ફાયદા થાય છે. મીઠા લીમડાના પાન ખાવાથી શરીર મજબૂત બને છે અને રોગોનો ખતરો ઓછો થાય છે. મીઠા લીમડાના પાનનો રસ પીવાથી તમારા શરીર પર જમા થયેલી ચરબી ધીમે-ધીમે દૂર થવા લાગે છે. ખાલી પેટે લીમડાના પાનનો રસ પીવાથી તમારું શરીર ડિટોક્સ થઈ જશે.
રિપોર્ટ અનુસાર, મીઠા લીમડાના પાંદડામાં આલ્કલોઇડ્સ, ગ્લાયકોસાઇડ્સ અને ફિનોલિક સંયોજનો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલા સંયોજનો તમારા શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. મીઠા લીમડાના પાંદડા શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવી શકે છે.
શરીરને કરે છે ડિટોક્સ
દરરોજ કરી પત્તા ખાવાથી તમારું શરીર કુદરતી રીતે ડિટોક્સ થાય છે. તે શરીર પર ચરબી જમા થતી અટકાવે છે. લીમડાના પાન ચાવવાથી શરીર સાફ થાય છે અને શરીરમાંથી હાનિકારક ઝેર દૂર થાય છે. લીમડાના પાનમાં કેલરી બર્ન કરવાનું કામ પણ ઝડપથી કરે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી
આ પાંદડાઓમાં છુપાયેલા સંયોજનો ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આનાથી હૃદય રોગથી બચવામાં મદદ મળી શકે છે. દરરોજ મીઠા લીમડાનું સેવન કરવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ શકે છે. સંશોધન દર્શાવે છે કે, મીઠા લીમડાના પાંદડા હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકે છે.
ઘણા સંશોધનો દર્શાવે છે કે, મીઠા લીમડાના પાંદડા આપણા મગજ સહિત સમગ્ર ચેતાતંત્રને સુરક્ષિત કરી શકે છે. કઢીના પાંદડામાં શક્તિશાળી કેન્સર વિરોધી ગુણધર્મો પણ છે, જે લોકોને કેન્સર જેવા જીવલેણ રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી
મીઠા લીમડાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે, મીઠા લીમડાનો અર્ક હાઈ બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. મીઠા લીમડાના પાંદડા તમારી ઇન્સ્યુલિન પ્રવૃત્તિને વેગ આપે છે, જે ખાંડના સ્તરને નિયંત્રિત કરવાનું સરળ બનાવે છે.