મંગેતરે 2 દિવસથી વાત નહીં કરતાં યુવાનની આત્મહત્યા
સદર બજારની રાધે હોસ્ટેલની ઘટના : મૃતક યુવાન મૂળ મહિસાગર જિલ્લાનો વતની હતો રાજકોટમાં રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો
રાજકોટ, : મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખાનપુર ગામના કેશવ દલપતભાઈ માલીવાડ (ઉ.વ.23)એ સદર બજાર પોલીસ ચોકીની બાજુમાં આવેલી રાધે હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મંગેતરે બે દિવસથી મોબાઈલ પર વાત કરવાનું બંધ કરતાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્ર.નગર પોલીસે જણાવ્યું કે કેશવ જયુબેલી પાસે મહાત્મા ગાંધી મ્યુઝીમમાં આવેલી રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. તેના પિતા અને અન્ય કારીગરો સાથે રાધે હોસ્ટેલમાં રહેતો હતો. તેના ગામની યુવતી સાથે તેની સગાઈ થઈ હતી. જે બે દિવસથી તેની સાથે મોબાઈલ પર કોઈ કારણસર ઝઘડો થતાં વાત કરતી ન હતી. જેને કારણે લાગી આવતાં કેશવે હોસ્ટેલની રૂમમાં છતમાં પ્લાસ્ટીકની પટ્ટી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.