વિશ્વનો સૌથી મોટો કૃષ્ણ ઝુલો, 451 કાનુડાઓને ઝુલે ઝુલાવાયા; અંકલેશ્વરમાં જન્માષ્ટમીના દિવસે નોંધાયા બે વર્લ્ડ રેકોર્ડ
વિશ્વનો સૌથી મોટો કૃષ્ણ ઝુલો, નોંધાયો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ
ઝુલા પર 451 કાનુડાઓને ઝુલાવાયા, નોંધાયો બીજો વર્લ્ડ રેકોર્ડ
અંકલેશ્વરમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના 5552માં જન્મ દિવસ જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ, 9 શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ દરમિયાન 2 વર્લ્ડ રેકોર્ડ બન્યા હતા. પહેલો વર્લ્ડ રેકોર્ડ વિશ્વનો સૌથી મોટો કૃષ્ણ ઝુલાનો જ્યારે બીજો વર્લ્ડ રેકોર્ડ 451 બાળકોને ઝૂલામાં ઝુલાવવામાં આવ્યા હોવાનો નોંધાયો હતો.
વિશ્વનો સૌથી મોટો કૃષ્ણ ઝુલો, નોંધાયો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અંકલેશ્વરનો વિશ્વ કક્ષાએ અંકિત થયો છે. જન્માષ્ટમી પર્વ નિમિતે એક મોટો ઝુલા તૈયાર કરાયો હતો. આ ઝૂલાએ વિશ્વના સૌથી મોટા શ્રીકૃષ્ણ ભગવાનનો ઝુલાનો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. મહત્વનું છે કે, ટ્રસ્ટ દ્વારા 30 દિવસ પહેલા રજીસ્ટ્રેશન કરાવીને જન્માષ્ટમીમાં વિશ્વનો સૌથી મોટો ઝૂલો બનાવાયો હતો. તેમાં સાંસ્કૃતિક કમિટીએ ટીમ સાથે નિરીક્ષણ કર્યું હતું. ઝુલાની 20.02 ફૂટની લંબાઈ, 15.02 ફૂટની ઊંચાઈ અને તેમાં 18.02 ફૂટની બેઠકની પાટ નોંધાઈ. તો ઝુલામાં 900 કિલો લોખંડ અને 25 વ્યક્તિઓ ઝુલી શકે તેવી ક્ષમતા છે. ઝુલા પર કુલ 2000 કિલો સુધીના વજનની ક્ષમતા સાથે ઝીરો બેલેન્સમાં તેને તૈયાર કરાયો છે. આખા ઝુલામાં સવાયું માપ રાખ્યું હતું. તો જેથી વર્લ્ડમાં સૌથી મોટો ઝૂલો હોવાથી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયા એન્ડ જીનીયસ ફાઉન્ડેશન દ્વારા નોંધણી કરી હતી. આ વર્લ્ડ રેકોર્ડ નોંધીને સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટને સર્ટિફિકેટ એનાયત કરાયું હતું.
500 કલાકમાં 25 કારીગરોએ તૈયાર કર્યો ઝુલો
મહત્વનું છે કે, આ ઝુલો બનાવવા 500 કલાકમાં 25 કારીગર અને ત્રણ ભરૂચ, સુરત અને નર્મદા જિલ્લામાં અલગ અલગ સ્થળે કામગીરી થઈ હતી. ઝુલામાં 4D વાસુદેવ કાનાને ટોપલામાં લઈ યમુના નદી પાર કરતા હોય તે છબી ચારેય બાજુથી દર્શન થાય તેવી બનાવી હતી. ઝુલાને શોભાયાત્રામાં ફેરવવા માટે 13 ફૂટની ઊંચાઈ જમીન લેવલથી ટ્રેલર સાથે જ્યારે જમીન પર મુકાય ત્યારે 15.02 ફૂટની ઊંચાઈમાં તૈયાર કર્યો છે. આ ઝૂલાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન સંસ્થા પ્રતિનિધિઓની હાજરીમાં આયોજન મંડળના સાંસ્કૃતિક કમિટીના ચેરમેન અતુલ પટેલ, સંસ્થાના પ્રમુખ પાવન સોલંકી અને સંસ્થાના સભ્યોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઝૂલો ખુલ્લો મૂકી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા બાદ સંસ્થા દ્વારા સરદાર પટેલ સમાજની વાડી ખાતેથી ઐતિહાસિક શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
શોભાયાત્રામાં 41 જેટલા રથમાં શ્રીકૃષ્ણની ઝાંખીના દર્શન થયા
શોભાયાત્રામાં અંકલેશ્વર ખાતે કાર્યરત 71થી વધુ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈ, આઈ.પી.એસ. લોકેશ યાદવ સહિત અગ્રણીઓએ ધ્વજ ફરકાવી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. શોભાયાત્રામાં કુલ 71 સંસ્થા, સમાજ અને ગ્રુપોએ 41 રથ જેમાં શ્રીકૃષ્ણ ભગવાનની ઝાંખી તેમજ ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરી હતી. 31 જેટલી વિવિધ ગ્રુપો, સમાજ અને સંસ્થા દ્વારા રૂટમાં અલગ અલગ સ્થળે ચા, પાણી, સરબત, ફરાળી ચેવડો અને શીરાનું સેવાકાર્ય કર્યું હતું. 5800 મીટરમાં રથયાત્રા કૃષ્ણમય બની ગઈ હતી. અંકલેશ્વરના ઇતિહાસમાં સૌથી વધુ 25 હજાર ભક્તજનો જોડાયા હતા. દરેકના મુખે એક જ હતું જન્માષ્ટમી રથયાત્રા ઐતિહાસિક થઈ હતી. રાત્રીના સંસ્થા દ્વારા સમાજની વાડી ખાતે દરેક કાનુડાને વર્લ્ડ રેકોર્ડની સર્ટીફીકેટ, ભારતીય ચોકલેટ અને સંસ્કૃતિ ઉજાગર થાય તેમજ વાતાવરણ શુદ્ધ કરવા પ્રેરણા આપવાના પ્રયાસ કર્યો હતો.
ઝુલા પર 451 કાનુડા ઝુલાવાયા, નોંધાયો બીજો વર્લ્ડ રેકોર્ડ
9મી જન્માષ્ટમી શોાયાત્રાના ઉત્સવમાં વિશ્વનો સૌથી મોટા શ્રીકૃષ્ણ ભગવાનનો ઝુલા પર કાનુડા ઝુલાવવાનું નક્કી કરાયું હતું. આમ, 90 મિનિટમાં 451 બાળ કાનુડા તબક્કાવાર ઝૂલે ઝુલાવવીને બીજો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. તેમજ આઈકોનિક શોભાયાત્રા, 2 વર્લ્ડ રેકોર્ડ કરવામાં સમગ્ર ટીમવર્ક, માઇક્રોપ્લાનિંગ અને પુરુષાર્થ થકી આ સફળતા મળી છે.
બાળ કાનુડાને સર્ટિફિકેટની સાથે તુલસીના રોપ અપાયા
ઘર ઘર કાન્હાના રૂપમાં સાંસ્કૃતિક પરંપરા મુજબ તુલસીજીનું પૂજન થાય અને બાળક જાતે તુલસીના રોપને વાવી તેમાંથી પ્રેરણા મળે અને કૃષ્ણના પત્ની તુલસીનું મહત્વ સમજે તેમજ વાતાવરણ શુદ્ધ કરવા 451 કાનાને ભારતીય બનાવટની ચોકલેટ, વર્લ્ડ રેકોર્ડની સર્ટિફિકેટ અને તુલસીનો છોડ આપવામાં આવ્યો હતો.