Get The App

ભાયલી દુષ્કર્મ કેસમાં તાંદલજાની બદનામી થતાં સ્થાનિકો ઉશ્કેરાયા : અસામાજિક તત્વોને વિસ્તારમાંથી કાઢી મુકવા તૈયારી

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
ભાયલી દુષ્કર્મ કેસમાં તાંદલજાની બદનામી થતાં સ્થાનિકો ઉશ્કેરાયા : અસામાજિક તત્વોને વિસ્તારમાંથી કાઢી મુકવા તૈયારી 1 - image


Vadodara Gang Rape Case : વડોદરાના ભાયલી ખાતે થયેલી દુષ્કર્મની દુર્ઘટનામાં તાંદલજામાં રહેતા આરોપી નરાધમો પકડાયાની જાણ થતા સ્થાનિક રહીશો ઉશ્કેરાયા હતા. તાંદલજાના રહીશોના ટોળા આરોપીઓના ઘરે પહોંચ્યા હતા. જોકે આરોપીઓ પકડાઈ ગયા છે. જ્યારે તેના પરિવારના અન્યો ઘરની તાળા મારીને પોબારા ભણી ગયા છે. ગુનાખોરી કરનારા આવા અન્ય રાજ્યના આવા પરિવારોને તાંદલજા વિસ્તારમાંથી કાઢી મૂકવા આવ્યા હતા. પરંતુ ઘરે કોઈ મળ્યું નથી.

ભાયલીમાં સર્જાયેલી દુષ્કર્મની ઘટનાના આરોપીઓ પકડાઈ ગયા છે પરંતુ આ તમામ આરોપીઓ તાંદલજા ના હોવાથી સ્થાનિક રહીશો ઉશ્કેરાયા છે. સ્થાનિક રહીશોની તપાસમાં આરોપીઓ પરપ્રાંત યુપીના છે. આવા આરોપી ગુનેગારોને યુપીની હાકી કાઢ્યા હતા. આવા લોકોએ તાંદલજા વિસ્તારમાં વસવાટ શરૂ કરીને  અમારા વિસ્તારને બદનામ કરી દિધો છે. જેથી આવા તત્વોને આ વિસ્તારમાંથી કાઢી મૂકવામાં આવશે. ગણપતિ મહોત્સવ વખતે પણ તાંદળજા વિસ્તારે કોમી એકતાના દર્શન કરાવ્યા છે. આમ શાંતિપ્રિય તાંદલજાની બદનામી સહન કર્યા વિના આવા અસામાજિક તત્ત્વોને આ વિસ્તારમાંથી કાઢી મૂકવામાં આવશે.


Google NewsGoogle News