વડોદરા: આજે અને કાલે પાંચ કૃત્રિમ તળાવમાં શ્રીજી વિસર્જન વિધિ થઈ શકશે

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
વડોદરા: આજે અને કાલે પાંચ કૃત્રિમ તળાવમાં શ્રીજી વિસર્જન વિધિ થઈ શકશે 1 - image


શહેરમાં ગણેશોત્સવની રંગેચંગે શરૂઆત થઈ ચૂકી છે આ સાથે જ ઘરે બેસાડેલા શ્રીજીની નાની પ્રતિમાઓનું પણ વિસર્જન શરૂ થયું છે વડોદરા કોર્પોરેશન દ્વારા પાંચ કૃત્રિમ તળાવો બનાવવામાં આવેલા છે શ્રદ્ધાળુઓને કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કેઆજે તારીખ 8  રવિવાર અને 9 સોમવાર ના રોજ કૃત્રિમ તળાવોમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન કરી શકાશે. આ તળાવમાં સમા તળાવ, નવલખી તળાવ, દશામાં તળાવ ,SSV સ્કૂલની સામે અને માંજલપુર તળાવ નો સમાવેશ થાય છે. દરમિયાન ગણેશ વિસર્જન માટે લાઈફ જેકેટ, લાઇફ બોયા પહેરવા અને નિયુક્ત તરવૈયા દ્વારા જ વિસર્જન વિધિ કરાવવા કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે.


Google NewsGoogle News