Get The App

મહીસાગરમાંથી અલગ અલગ સ્થળેથી બે મૃતદેહ મળ્યા, હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
મહીસાગરમાંથી અલગ અલગ સ્થળેથી બે મૃતદેહ મળ્યા, હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન 1 - image
Image Twitter 

Mahisagar:  મહીસાગર જિલ્લામાંથી એક સાથે અલગ અલગ જગ્યાએથી બે મૃતદેહો મળી આવતાં ચકચાક મચી જવા પામી છે. જેમાં ખાનપુર તાલુકાના ઉડવા ગામના ખેતરમાથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. માહિતી પ્રમાણે આ યુવક કડિયા કામે ગયો હતો. જે બાદ તેનો મૃતદેહ મળી આવતાં આ આત્મહત્યા હતી કે મર્ડર તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. હાલમાં પોલીસ મૃતદેહને પીએમ અર્થે મોકલીને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો: ગુજરાતના દાહોદમાં ઘટી મણિપુર જેવી ઘટના: પરિણીતાને અર્ધનગ્ન કરી આખા ગામમાં ફેરવી, 12ની ધરપકડ

કાળીમીલ ગામમાંથી 55 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો

તો બીજી તરફ સંતરામપુર તાલુકાના કાળીમીલ ગામમાંથી 55 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ ખૂબ જ ગંભીર હાલતમાં હતો, જેને જોતા એવુ લાગી રહ્યુ હતું કે, તેના ચહેરા પર કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે મારવામાં આવ્યું હતું. હાલમા કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાનુ માનવામાં આવી રહ્યું છે. જે અંગે મૃતકના દિકરાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. સંતરામપુર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 


Mahisagar

Google NewsGoogle News