Get The App

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, વાહનચાલકો 10 કલાક ફસાયા

Updated: Jan 6th, 2025


Google News
Google News
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, વાહનચાલકો 10 કલાક ફસાયા 1 - image


Chotila-Rajkot National Highway: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે સિક્સલેન્ડ તૈયાર થઈ રહ્યો છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા હજુ પણ યથાવત્ છે. ત્યારે આજે (છઠ્ઠી જાન્યુઆરી) વહેલી સવાર ચોટીલા નેશનલ હાઈવે પર આશરે 15 કિલોમીટર જેટલી વાહનોની લાઈન લાગી હતી. આશરે 10 કલાક સુધી વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા.

Chotila-Rajkot National Highway


અકસ્માતના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેનું છેલ્લા ઘણાં વર્ષોથી કામ ચાલી રહ્યું છે. જેના કારણે હાઈવે પર વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાય છે. આ ઉપરાંત અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ટ્રક અકસ્માતના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. નોંધનિય છે કે, પોલીસ વાન અને એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાય હતી. 

આ પણ વાંચો: સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જાતે જ પટ્ટા મારી માફી માંગી, 'દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો'


નવો સાત કિમીનો સિક્સલેન રોડ સાંગાણી ગામ સુધી બનશે

સૂત્રોના જણાવ્યાનુસાર, રાજકોટથી ચોટીલા જતા ચામુંડા માતાજીના ડુંગરનો ગેઇટ આવે તે પહેલા હાઇવે પર એક ઓવરબ્રિજ આવે છે. આ બ્રિજ પહેલા જ ચાણપા ગામ પાસેથી કૂલ આશરે 219 કરોડ રૂપિયાના ખર્ચે નવા 60 મીટર (200 ફૂટ) પહોળાઈનો અને આશરે 7 કિ.મી.લંબાઈનો સિક્સલેન રોડ બનાવાશે. જે સીધો ચોટીલાને ઓળંગીને લિંબડી તરફ સાંગાણી ગામ પાસે નીકળીને સીધો અમદાવાદ એક્સપ્રેસ હાઇવેને મળશે. 

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, વાહનચાલકો 10 કલાક ફસાયા 3 - image

વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી ક્યારે મુક્તિ મળશે?

નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના કારણે ચોટીલાથી રાજકોટ જઈ રહેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ છે. તંત્ર દ્વારા આ સમસ્યાનો હલ ક્યારે કરશે તે જોવાનું રહ્યું છે.

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, વાહનચાલકો 10 કલાક ફસાયા 4 - image

Tags :
TrafficChotila-Rajkot-National-Highway

Google News
Google News