ગમખ્વાર અકસ્માત: ભરૂચના ઝઘડીયામાં ટ્રેક્ટર પલટી જતા ત્રણ લોકોના મોત, 23થી વધુને ઈજા

દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
ગમખ્વાર અકસ્માત: ભરૂચના ઝઘડીયામાં ટ્રેક્ટર પલટી જતા ત્રણ લોકોના મોત, 23થી વધુને ઈજા 1 - image


Bharuch Accident: ભરૂચના ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતાં ત્રણ લોકોના મોત નીપજ્યા. જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે 23થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકો ઉમલ્લા વડીયા મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં 23થી વધુ લોકોને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મૃત્યુ નીપજ્યા હતાં. આ દુર્ઘટનાને કારણે અનેક હસતા-હસતા ઘરોમાં માતમ હતો.


Google NewsGoogle News