Get The App

મહેસાણામાં ભયાનક અકસ્માત, કાર પલટી ખાતા ત્રણના મોત, ગીરગઢડામાં બે બાઈકો સામસામે અથડાતા એકનું મોત

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
મહેસાણામાં ભયાનક અકસ્માત, કાર પલટી ખાતા ત્રણના મોત, ગીરગઢડામાં બે બાઈકો સામસામે અથડાતા એકનું મોત 1 - image


Accident Incident :  મહેસાણા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ચાર ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. અન્ય એક ઘટનામાં, ગીરગઢડાના સોનારીયા પાસે બે બાઇક સામસામે અથડાતાં એકનું મોત થયું.

મહેસાણા અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

મહેસાણાના જગુદણ ચોકડી પાસે ઈકો કારનું ટાયર અચાનક ફાટી જતા કાર પલટી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારમાં બેઠેલા દાદા, દાદી અને પૌત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવર સહિત ચાર લોકોને અમદાવાદ ખાતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. 

આ પણ વાંચો : VIDEO: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ધરા ધ્રૂજી: અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ

મળતી માહિતી પ્રમાણે, પાટણથી મીનાવાડા દર્શનાર્થે જતી વખતે પરિવારને જગુદણ ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં જગદીશભાઇ પરસોત્તમભાઈ જોશી (ઉંમર 70 વર્ષ), સંતોશબેન જગદીશભાઇ જોષી (ઉંમર 70 વર્ષ) અને ધીરજ કુમાર અનિલભાઇ જોશી (ઉંમર 3 વર્ષ)નું મોત થયું.

આ પણ વાંચો : Audio Clip : 'અમારે શિષ્યવૃત્તિ નથી જોઈતી...પાંચ હજાર ખર્ચીએ ત્યારે 900 રૂ. જ મળે', શાળાની KYC પ્રક્રિયા સામે વાલીનો આક્રોશ

ગીરગઢડાના સોનારીયા પાસે બે બાઇક વચ્ચે ટક્કર, એકનું મોત

ગીરગઢડાના સોનારીયા પાસે બે બાઇક વચ્ચે ટક્કર વાગતા ઉના નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ઊનાથી રાજકોટ બુલેટથી જતા પૂર્વ પાલિકા પ્રમુખના પુત્ર પંકજ ચૌહાણ અને તેના મિત્રને સોનારીયા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં બુલટ અન્ય ત્રણ સવારી જતા બાઈક સાથે ધડાકાભેર અથડાતાં, પંકજનું ધટના સ્થળે મોત થયુ હતું. જ્યારે તેના મિત્રને ઈજા પહોંચી હતી. 


Google NewsGoogle News