Get The App

આજવા રોડની નવજીવન સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિકના ઘરે મોડી રાત્રે ચાર લુંટારાઓ ત્રાટક્યા

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
આજવા રોડની નવજીવન સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિકના ઘરે મોડી રાત્રે ચાર લુંટારાઓ ત્રાટક્યા 1 - image


આજવા રોડની નવજીવન સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિક ના ઘરે મોડી રાત્રે ત્રણ વાગે ચાર બુકાની ધારી લુંટારાઓ ત્રાટક્યા હતા સોસાયટીના મુખ્ય રસ્તા પર આવેલા મકાનમાં અંદર ઘૂસીને પરિવારને મારક હથિયારો વડે બાનમાં લઈ 20 તોલા સોનાના દાગીના બે કિલો ચાંદી અને અઢી લાખ રોકડા રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા.

શહેરમાં ચોરી કરતી ગેંગ ફરતી હોવાને અફવાઓની વચ્ચે ગઈકાલે વારસિયા વિસ્તારમાં એક યુવકને  ટોળાએ રહેસી  નાખ્યો હતો. હજી આ ગુનામાં આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જ બીજી એક ઘટના આજવારોડ ના ભરચક વિસ્તાર પણ બની છે આજવા રોડની નવજીવન સોસાયટીમાં રહેતા અશોકભાઈ સિંઘલા  સરદાર એસ્ટેટમાં ફેક્ટરી ચલાવે છે ગઈકાલે રાત્રે અશોકભાઈ તેમના પત્ની તથા પુત્ર અમન ઘરમાં સુતા હતા મોડી રાત્રે 3:00 વાગે કાર લઈને આવેલા ચાર લૂંટારાઓ કમ્પાઉન્ડ કુદીને અંદર આવ્યા હતા અને રસોડાના દરવાજાનું ઇન્ટરલોક તોડી અંદર ઘુસ્યા હતા બેડરૂમમાં પરિવાર સૂતો હતો તે બેડરૂમના દરવાજાનું પણ ઇન્ટરલોક તોડી નાખ્યું હતું અને પરિવાર કંઈ સમજે તે પહેલા જ તલવાર અને ખંજર જેવા હથિયારો વડે પરિવારને બાનમાં લીધો હતો તિજોરી તોડીને 20 તોલા સોનાના દાગીના , બેડના કબાટમાં મૂકેલી બે કિલો ચાંદી તથા રોકડા અઢી લાખ રૂપિયા લઈ લીધા હતા પરિવારે શરીર ઉપર પહેરેલા દાગીના પણ ધમકાવીને ઉતારી લીધા હતા પરિવાર રડતો રહ્યો ઘર તો રહ્યો હતો લૂંટની ઘટનાને અંજામ આપીને માત્ર 10 મિનિટમાં લૂંટારાઓ  બેડરૂમનો દરવાજો બહારથી બંધ કરીને ફરાર થઈ ગયા હતા.


Google NewsGoogle News