માંજલપુરમાં મોર્નિંગ વોકમાં ગયેલા દંપતિના ઘરમાંથી ચોરી
Image Source: Freepik
માંજલપુર પંચશીલ સ્કૂલ પાછળ ત્રિભુવન ધામ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત મગનભાઈ અમીન કોયલી રિફાઇનરી માંથી નિવૃત્ત થયા છે અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે. ગત તારે 29 ની માર છે તેઓ પરિવાર સાથે ઘરે સૂઈ ગયા હતા સવારે 5:45 વાગે ચંદ્રકાંતભાઈ અને તેમના પત્ની મકાનને ગ્રીલને તાળું મારીને ચાલવા માટે દરબાર ચોકડી તરફ ગયા હતા. ત્યાંથી 6:45 વાગે પાછા આવ્યા ત્યારે જાળી ના દરવાજાનો નકુચો તૂટેલો હતો. ઘરમાં જઈને તપાસ કરતા તિજોરી નો સામાન વેર વિખેર હતો અને તિજોરીમાંથી સોનાના દાગીના તેમજ રોકડા 10,000 રૂપિયા ચોરી થઈ ગયા હતા. ચોર ટોળકી 1.20 લાખની લઈ ગઈ હતી.