પતિએ જાતે પેટમાં ચપ્પુ હુલાવ્યા બાદ સિવલિમાં કહ્યું, પત્નીએ માર્યું છે
- લગ્નજીવનના 10 વર્ષ બાદ પણ સંતાનસુખ નહી મળતા દંપતી વચ્ચે ઝઘડો થતો હતો તેમાં પતિએ જાતે ચપ્પુ હુલાવ્યુ
સુરત,:
સચિન
જીઆઇડીસી ખાતે આજે શુક્રવારે સવારે સંતાન સુખ નહી મળતા પત્ની અને પતિ વચ્ચે ઝઘડો થયો
હતો. જેથી પતિએ જાતે પેટમાં ચપ્પુ હુલાવી દેતા સારવાર માટે નવી સિવિલમાં દાખલ કર્યો
હતો.
નવી સિવિલથી મળતી માહિતી મુજબ સચિન જીઆઇડીસીમાં તલંગપૂર રોડ પર શિવનગરમાં રહેતા ૪૫ વર્ષીય શંકર દશરથ ગુપ્તાએ આજે સવારે પેટના ભાગે ચપ્પુના ઘાને લીધે લોહીલુહાણ હાલતમાં સારવાર માટે પરિવારજનો નવી સિવિલમાં લાવ્યા હતા. જોકે ત્યાં ઇજાગ્રસ્ત શંકરે ડોકટર અને સિવિલની ચોકીના પોલીસ સહિતનાને કહ્યુ કે પત્ની સાથે ઝઘડો થયો હતો. જેથી પત્નીએ તેને પેટમાં ચપ્પુ માર્યુ હતું. આ અંગે સચિન જી.આઇ.ડી.સી પોલીસને જાણ થતા સિવિલ ખાતે આવીને તપાસ કરી હતી. જેમાં ખબર પડી કે, શંકર અને તેની પત્ની સાથે લગ્ન અંદાજીત ૧૦ કે ૧૫ વર્ષ પહેલા થયા હતા. જોકે તેમને સંતાન સુખ નહી મળતા દંપતિ વચ્ચે અવાર નવાર ઝઘડો ચાલતો હતો. આજે પણ પત્ની સાથે તેનો ઝઘડો થયા બાદ જાતે પેટમાં ચપ્પુ હુલાવી દીધું હતું એમ સચીન જી.આઇ.ડી.સી પોલીસ મથકના જગદીશભાઇએ જણાવ્યું હતું. શંકર મુળ ઉતરપ્રદેશનો વતની છે અને ભંગારની દુકાન ચલાવે છે.