મેળો સંપૂર્ણ રદ્દ, ધંધાર્થીઓને GST સહિત 100 ટકા રિફંડ અપાશે

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
મેળો સંપૂર્ણ રદ્દ, ધંધાર્થીઓને GST સહિત 100  ટકા રિફંડ અપાશે 1 - image


પોરબંદર પાલિકાનાં શાસકો અતે હાર્યા વળ્યાં! ભારે વરસાદને કારણે લોકમેળો રદ્દ કરવા ફરજ પડી

પોરબંદર, : ભારે વરસાદને કારણે પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો સંપૂર્ણ રદ થયો છે અને તમામ ધંધાર્થીઓને જી.એસ.ટી.સાથેનું 100 ટકા રિફંડપરતઆપી દેવાશે. પોરબંદર-છાંયા નગરપાલિકાએ જણાવ્યું છે કે, હાલમાં ભારે વરસાદ તથા ભારે પવન ફુકાવાને કારણે મેળાના મંડપ અસ્ત-વ્યસ્ત થઈ ગયેલા છે તેમજ હવામાન વિભાગની હજુ પણ ભારે વરસાદ અને પવન ફુકાવાની આગાહી છે, જે તમામ બાબતો ધ્યાને રાખીને કોઈ જાનહાની ન થાય તેથી જન્માષ્ટમી લોકમેળા સમિતિ દ્વારા નિર્ણય લઈને લોકમેળો સંપુર્ણપણે રદ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.


Google NewsGoogle News