Get The App

'પહેલા મારા જીજાજીને જાણ કરજો...', રાજકોટના ડૉ. જય પટેલે દવાનો ઓવરડોઝ લઈને કર્યો આપઘાત, સુસાઈડ નોટ મળી

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
'પહેલા મારા જીજાજીને જાણ કરજો...', રાજકોટના ડૉ. જય પટેલે દવાનો ઓવરડોઝ લઈને કર્યો આપઘાત, સુસાઈડ નોટ મળી 1 - image


Rajkot News : રાજકોટમાં સિનર્જી હોસ્પિટલના ડૉક્ટરે દવાનો ઓવરડોઝ લઈને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં તબીબનો છુટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો અને ઘરકંકાસના લીધે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાત પહેલા ડૉક્ટરે સુસાઈડ નોટ લખી હતી. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, કયા કારણોસર ડૉક્ટરે આવું પગલું ભર્યું તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી. 

ડૉક્ટરે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી મુજબ, રાજકોટના કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક પાસે આવેલા સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા સિનર્જી હોસ્પિટલના એનેસ્થેટિક ડૉ.જય પટેલે દવાનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી. 

સુસાઈડ નોટમાં શું લખ્યું હતું?

ડૉ.જય પટેલે આપઘાત પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'માતા-પિતાને નહીં પણ આ બનાવ અંગે પહેલા જીજાજીને જાણ કરજો.' પોલીસે સુસાઈડ નોટ મેળવીને ડૉક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી.

આ પણ વાંચો: નલિયા સામૂહિક દુષ્કર્મ કેસ: તમામ 8 આરોપી નિર્દોષ જાહેર, ભુજ સેશન્સ કોર્ટનો ચુકાદો

મળતી માહિતી મુજબ, ડૉ.જય પટેલનો તેમની પત્ની સાથે છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. જેથી ઘરકંકાસથી કંટાળીને ડૉક્ટરે આવું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, કયા કારણોસર ડૉક્ટરે આપઘાત કર્યો તેને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી.


Google NewsGoogle News