સુરતના આઉટર રીંગરોડ પ્રોજેક્ટ 2024ને બદલે 2023સુધીમાં પૂર્ણ કરવા આયોજન
રૃા.73.57 કરોડના પ્રોજેકટથી ગઢપુરરોડ, સુરત કામરેજ રોડને મોટા વરાછા, ભરથાણા, કોસાડની નવી કનેકટીવીટી મળશે
દસ કિલોમીટર જેટલા ટ્રાફિકના અંતરમાં પણ ઘટાડો થશે
સુરત
સુરત
શહેર માટે અતિ મહત્વના એવા આઉટર રિંગરોડ પ્રોજેક્ટની કામગીરી 2024ને બદલે 2023સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રુપિયા 73.57 કરોડના ખર્ચે થનારા પ્રોજેક્ટ ગઢપુરરોડ,
સુરત કામરેજ રોડને મોટા વરાછા, ભરથાણા,
કોસાડ ની નવી કનેક્ટિવિટી મળસે અને
દસ કિલોમીટર જેટલી ટ્રાફિકના અંતરમાં
પણ ઘટાડો થશે.
સુરતને ફરતેના આઉટર રિંગરોડ પ્રોજેક્ટ માં ગઢપુર રોડ થી સુરત કામરેજ રોડ પ્રોજેક્ટ અંતર્ગત વ્હીકલ અંડરપાસ, રોડવર્ક, ડીસ્ટ્રક્ચર અને ફ્લાયઓવરબ્રિજની કામગીરી 2024માં પુરો થાય તેમ હતું પરંતુ આ પ્રોજેક્ટ સુરત માટે ઘણો જ મહત્વનો હોય તેને 2023 સુધીમાં પુરો કરવા માટે કવાયત થઈ રહી છે. આ કવાયત ના ભાગરુપે સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને મેનેજીંગ ડીરેક્ટર, યુ આર ડીસીએલ દ્વારા ગઢપુર રોડ થી સુરત કામરેજ રોડ થી વાલક તાપી બ્રિજને જોડાતા વહીકલ અંડરપાસ, રોડ વર્ક, ખાડી સ્ટ્રક્ચર અને ફ્લાયઓવર બ્રિજ ની મુલાકાત લીધી હતી.
આ મહત્વકાંક્ષી એવા પ્રોજેક્ટ રૃ.73.57 કરોડના ખર્ચે બનશે. પ્રોજેક્ટના ભાગમાં કુલ લંબાઈ 1.93 કી.મી. ની છે, જે પૈકી વહીકલ અંડરપાસની 390મીટર, રોડવર્કની લંબાઈ 410મીટર, ફ્લાય ઓવરબ્રિજની લંબાઈ 550મીટર અને રેલ્વેઓવર બ્રિજની લંબાઈ 580 મીટર છે. તેમજ 3+3 (સીક્સ લેન) બ્રીજ છે. આ પ્રોજેક્ટ પુરો થતાં ગઢપુર રોડ, સુરત કામરેજ રોડને મોટા વરાછા, ભરથાણા, કોસાડ ની નવી કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત આ રોડના કારણે અંદાજે દસ કિલોમીટર ટ્રાફિકના અંતરમાં પણ ઘટાડો થશે તેમજ ઈંધણ અને પ્રદૂષણની માત્રામાં પણ ઘટાડો થશે