Get The App

ભાવનગર ડિવિઝનમાં દોડતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
ભાવનગર ડિવિઝનમાં દોડતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે 1 - image


- રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં બ્લોકને કારણે 

- વેરાવળ-રાજકોટ ટ્રેન આજે સાંજે વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય કરતા બે કલાક મોડી ઉપડશે : સોમવાર અને મંગળવારની વેરાવળ-રાજકોટ-વેરાવળ રદ્દ 

ભાવનગર : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. 

આ અસરગ્રસ્ત ટ્રેનોમાં જુદીજુદી ત્રણ ટ્રેનનો સમાવેશ થાય છે. જેમાં વેરાવળથી તા.૮-૨-૨૦૨૫ના રોજ પ્રસ્થાન થનારી વેરાવળ-રાજકોટ પેસેન્જર (૫૯૪૨૪) તેના નિર્ધારિત સમયથી ૨ કલાક રીશેડયુલ કરવામાં આવશે એટલે કે આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય ૧૭ કલાકને બદલે ૧૯ કલાકે ઉપડશે.

તો તા. ૧૦-૨-૨૦૨૫ ના રોજ વેરાવળથી ચાલતી વેરાવળ-રાજકોટ પેસેન્જર (૫૯૪૨૪) સંપૂર્ણપણે રદ કરાઈ છે. એ જ રીતે તા. ૧૧-૨-૨૦૨૫ ના રોજ રાજકોટથી ચાલતી રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેન (૫૯૪૨૩) પેરિંગ રેકના અભાવે સંપૂર્ણપણે રદ રહેશે. 


Google NewsGoogle News