પોસ્ટ ઓફિસ પરત લાવવા સે-૬ના વસાહતીઓ હવે આંદોલનના મુડમાં
સિનિયર સિટીઝન અને જાગૃત નાગરિકોની મહત્વની બેઠક મળી
કડીયાનાકુ દૂર ખસેડવા,દબાણો હટાવવા અને કમ્પાઉન્ડ વોલનું અધુરૃ કામ પૂર્ણ કરવા પણ ચર્ચાઃરજુઆતનો દોર
જુના અને જર્જરીત જોખમી સરકારી આવાસો તોડી પાડવામાં
સેક્ટર-૬માંથી પોસ્ટ ઓફિસના બ્લોક પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. જેના પગલે
આખરે આ પોસ્ટ ઓફિસને વીઆઇપી સેક્ટર-૮માં ખસેડવામાં આવી છે. આ એક જ સેક્ટરોમાં
બે-બે પોસ્ટ આફિસ આવી છે. ત્યારે નવા સેક્ટરના ખાતેદારો અને વડિલોને પોસ્ટના કામ
માટે ઘ અને ચ રોડ ક્રોસ કરીને જવુ પડે છે જે ખુબ જ મુશ્કેલ છે જેના પગલે આ પોસ્ટ
ઓફિસ પરત સેક્ટર-૬માં આવે તે માટે વારંવાર રજુઆતો વિવિધ મંડળો, સ્વૈચ્છિક
સંસ્થાઓ અને વસાહત મંડળો દ્વારા કરવામાં આવી હતી પરંતુ કોઇ તંત્ર કે સ્થાનિક નેતાઓ
રહિશો-વડિલોનુ સાંભળતા નથી જેના પગલે આજે સે-૬ ચંદ્રમૌલીશ્વર મહાદેવ મંદિર ખાતે
ખાસ બેઠક મળી હતી.
જેમાં મોટી
સંખ્યામાં જાગૃત નાગરિકો ભેગા થયા હતા.એટલુ જ નહી, સત્વરે સેક્ટર-૬માં પોસ્ટ ઓફિસ પરત લાવવા માટે કોઇ નિર્ણય
લેવામાં નહીં આવે તો સેક્ટરવાસીઓ ઉગ્ર આંદોલન છેડશે. હેડ પોસ્ટઓફિસ સામે જ ઉપવાસ
ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ ઉપરાંત સેક્ટરમાંથી કડિયાનાકું તથા
સેક્ટરોના મુખ્ય તથા આંતરિક માર્ગો ઉપર ઉભા થઇ ગયેલા લારી-ગલ્લાના દબાણો તથા
અસામાજિક તત્વોના અડ્ડા દૂર કરવા માટે પણ ચર્ચા કરાઇ હતી તથા સંબંધિક
વિભાગ-તંત્રને રજુઆત કરવા માટે શિવરંજની વસાહત મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું
હતું. તો સેક્ટરની કમ્પાઉન્ડવોલની અધુરી કામગીરી પણ સત્વરે પુર્ણ કરવા પણ માંગણી
ઉઠી હતી.