સોમનાથ મહાદેવ મંદિરનો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
સોમનાથ મહાદેવ મંદિરનો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો 1 - image


મહાદેવની વિશેષ મહાપૂજા,સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ : પ્રથમ જ્યોતિલગ દેવાધિદેવ સોમનાથ મહાદેવનાં પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને 28 વર્ષ પૂર્ણ થયા

વેરાવળ, : સોમનાથ મંદિરનો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો. પ્રથમ જ્યોતિલગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને ૨૮ વર્ષ પૂર્ણ થયા છે.૧ ડિસેમ્બર ૧૯૯૫ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માએ સંપૂર્ણ થયેલ સોમનાથ મંદિર દેશને સમપત કરેલ હતું. એ પ્રસંગની યાદમાં આજે મહાદેવની વિશેષ મહાપૂજા યોજાઇ હતી તથા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.

દેશની સ્વતંત્રતા બાદ અરબ સાગરના કિનારે વિસર્જન પછી ગુજરાતમાં અરબસાગરના કિનારે તે સમયે ભગ્ન અવસ્થામાં રહેલ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ કાળક્રમે વટ વૃક્ષ બન્યો અને નાગર શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ સ્થાપત્યનું ભવ્ય સોમનાથ મંદિર સંપન્ન થયું. ત્યારબાદ આગળ જઈને ટ્રસ્ટ દ્વારા શિખર અને સભામંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે પ્રવર્તમાન સંપૂર્ણ સોમનાથ મંદિર ૧ ડિસેમ્બર ૧૯૯૫ના રોજ દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માજી દ્વારા નૃત્ય મંડપ કળશરોપણ કરીને રાષ્ટ્રને સમપત કરવામાં આવ્યું હતું. ત્યારથી એ પુણ્ય ક્ષણના સ્મરણાર્થે પ્રતિ વર્ષ સોમનાથમાં 1 ડિસેમ્બરને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

સોમનાથ મંદિરમાં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવને ટ્રસ્ટના સચિવ  યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા સંકલ્પ કરીને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી તેમજ મંદિરમાં પૂજારીગણ દ્વારા મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


Google NewsGoogle News