ખંભાળિયા-દ્વારકા રેલમાર્ગ ટ્રેન હડફેટે 13 ગૌવંશના મોત, સેવાભાવી કાર્યકરો ઘટના સ્થળે દોડ્યા

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
ખંભાળિયા-દ્વારકા રેલમાર્ગ ટ્રેન હડફેટે 13 ગૌવંશના મોત, સેવાભાવી કાર્યકરો ઘટના સ્થળે દોડ્યા 1 - image


Train Hits Cow in khambhalia: ખંભાળિયાના ભાતેલ ગામના નજીક ટ્રેનની અડફેટે 13 ગૌવંશ મૃત્યુ થયા હતા. આ ઘટનાની જાણ સેવાભાવી કાર્યકરોને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે ઈજાગ્રસ્ત ગૌવંશને સારવાર માટે પશુ હોસ્પિટલે પહોંચાડી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં આ દિવસે મેઘતાંડવ, બાદમાં ગુજરાતમાં ઘટશે વરસાદનું જોર: જાણો શું છે આગાહી


મળતી માહિતી અનુસાર, ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના નજીક પસાર ખંભાળિયા-દ્વારકા રેલમાર્ગ પર ગત મોડી સાંજે પેસેન્જર ટ્રેનની અડફેટે 13 ગૌવંશ અને એક શ્વાનનું મૃત્યુ નીપજ્યું હતું. ટ્રેકની બંને બાજુ પશુઓના કપાઈ ગયેલા અંગો જોવા મળ્યા હતા. આ અંગેની જાણ સેવાભાવી કાર્યકરોને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત પશુઓને સારવાર માટે પશુ હોસ્પિટલ પહોંડ્યા હતા.

ખંભાળિયા-દ્વારકા રેલમાર્ગ ટ્રેન હડફેટે 13 ગૌવંશના મોત, સેવાભાવી કાર્યકરો ઘટના સ્થળે દોડ્યા 2 - image


Google NewsGoogle News