રાધનપુર હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 4ના મોત, 6 ઈજાગ્રસ્ત

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Road Accident In patan


Road Accident In Patan: પાટણના રાધનપુર હાઈવે પર મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4ના મોત  અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં મેઘ મહેર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની નવી આગાહી

મળતી માહિતી અનુસાર, રાધનપુર હાઈવે પર મોડી રાત્રે આણંદથી રાપર જતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ અને ટ્રકના ડ્રાઈવર સહિત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બસમાં સવાર 6 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

રાધનપુર હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 4ના મોત, 6 ઈજાગ્રસ્ત 2 - image


Google NewsGoogle News