રીક્ષા ચાલક ભરવાડ અને તેના સાગરીતોનો વેપારી પર હુમલો

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
રીક્ષા ચાલક ભરવાડ અને તેના સાગરીતોનો વેપારી પર હુમલો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 03 માર્ચ 2024, રવિવાર

સગીર વયના દીકરાને માર મારનાર રીક્ષા ચાલકને સમજાવવા ગયેલા પિતા પર ચાર માથાભારે ભરવાડોએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.

ન્યુ કારેલીબાગ સયાજીનગર સોસાયટીમાં રહેતા જયેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ બારીયા ઘરેથી બજરંગ ટ્રેડર્સ ના નામે રેતિ નો ધંધો કરે છે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારો દીકરો ગઈકાલે પોણા ત્રણ વાગે ઘરે થી સાયકલ લઈને વાઘોડિયા રોડ ઉપર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલા ફિનિક્સ કોમ્પ્લેક્સ માં ક્લાસમાં જવા નીકળ્યો હતો તે સમયે રુદ્રાક્ષ વિવેરા પાસે એક રીક્ષા સાથે અથડાતા રહી જતા તેણે રીક્ષા ચાલકને રીક્ષા જોઈને ચલાવવાનો કહેતા રિક્ષા ચાલકે ઉસકેરાઈને તેને માર માર્યો હતો. મારા દીકરાએ ઘરે આવીને મને ઉપરોક્ત હકીકત જણાવી કહ્યું હતું કે રીક્ષા ચાલાકે મને કહ્યું છે કે તારા જેટલા માણસો હોય તેને લઈને ચાચા નેહરુગર પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન પાસે આવી જજે જેથી હું ત્યાં ગયો હતો. મારા દીકરાને માર માર લાલાભાઇ ભરવાડને મેં કહ્યું હતું કે નાના છોકરાને તમારે મારવો ના જોઈએ તેમ કહેતા તે ઉસકેરાઈ ગયો હતો. લાલા ભરવાડ તથા શૈલેષ ભરવાડે મારા પર હુમલો કર્યો હતો શૈલેષ ભરવાડ મારા માથાના પાછળના ભાગે તીક્ષણ હથિયારથી મારતા મને ગંભીર ઈજા થઈ હતી તે દરમિયાન સાગર ભરવાડ અને ભરત ભરવાડ પણ આવી ગયા હતા અને મને માર માર્યો હતો. અમારી સોસાયટીમાં રહેતા સતિષભાઈ તથા અન્ય રહીશોએ આવીને મને બચાવ્યો હતો.



Google NewsGoogle News