રાજકોટ અગ્નિકાંડમાં ઘીના ઠામમાં ઘીઃ બે પૂર્વ મ્યુનિ. કમિશ્નરને ક્લિનચીટ, કોઈ વાંક જ નહીં હોવાનો અહેવાલ રજૂ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડમાં ઘીના ઠામમાં ઘીઃ બે પૂર્વ મ્યુનિ. કમિશ્નરને ક્લિનચીટ, કોઈ વાંક જ નહીં હોવાનો અહેવાલ રજૂ 1 - image


TRP Game Zone : રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ઘટના અંગે દેશભરમાં ભારે પ્રત્યાઘાત પડ્યા પછી હાઇકોર્ટે ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિ બનાવી હતી. આ સમિતિએ આજે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરીને રાજકોટના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નરને ક્લિનચીટ આપી દીધી છે. આ બે મ્યુનિસિપલ કમિશ્નરમાં અમિત અરોરા અને આનંદ પટેલનો સમાવેશ થાય છે. 

આ દુર્ઘટના પછી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યાર પછી સરકારે મોટે ઉપાડે સત્ય શોધક સમિતિ રચી હતી. જો કે આ પ્રકારની સમિતિઓનો ઇતિહાસ રહ્યો છે કે, તેઓ ‘ઘીના ઠામમાં ઘી’ ઢોળી દેવા જ રચાતી હોય છે, એવું પીડિતો અનુભવી રહ્યા છે. 

આ રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે, વર્ષો પહેલાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને અપાઈ હતી, જેથી આ બન્ને મ્યુનિસિપલ કમિશ્નરની કોઈ ભૂમિકા આવતી નથી. આ રિપોર્ટમાં બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા ગયેલા અન્ય ચાર અધિકારીને પણ ક્લિનચીટ આપવામાં આવી છે. 


Google NewsGoogle News