રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર, ચાર અધિકારીઓની ધરપકડ

Updated: May 30th, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર, ચાર અધિકારીઓની ધરપકડ 1 - image


Rajkot Game Zone Fire : રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સરકાર દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, તેની વચ્ચે હાલ મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં ચાર અધિકારીઓની ધરકપડ કરવામાં આવી છે. અગાઉ આ ચાર અધિકારીઓને એસીબીએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે ચારેય અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના અગ્નિકાંડમાં SITની તપાસ બાદ પ્રાથમિક રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જેના બાદ પોલીસે ચાર અધિકારીઓની ધરપકડ કરી છે, જેમાં ટીપીઓ એમ.ડી.સાગઠીયા, એટીપીઓ ગૌતમ જોશી, એટીપીઓ મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે.

ભાજપ સાંસદે ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો

આ પહેલા રાજકોટ ભાજપના સાંસદ રામ મોકરિયાએ જ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને મોટો ખુલાસો કર્યો હતો. તેમણે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ઓફિસર ભીખાભાઈ ઠેબાને ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે 70 હજાર આપ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘હા મારી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા.’ મોકરીયા જ્યારે ફક્ત બિઝનેસમેન હતા ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે આ 70 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. જો કે રામભાઈ મોકરીયા બાદમાં સાંસદ બન્યા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70 હજાર નાખી રામભાઈ મોકરીયાને પરત આપી દીધા હતા. 

યુવકે ત્રણ વ્યક્તિ ગુમ થયાની ખોટી ફરિયાદ કરતા ધરપકડ

રાજકોટમાં અગ્નિકાંડ બાદ કેટલાક ઈજાગ્રસ્ત લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે કે મૃત્યુ પામેલા છે તેવી ભ્રામક માહિતી મામલે રાજ્યના રાહત કમિશનરે જણાવ્યું કે, ટ્રીનીટી હોસ્પીટલ દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. તેમજ હોસ્પીટલના સંચાલકનું મામલતદાર દ્વારા નિવેદન લઈને માહિતી ખોટી હોવાની ખરાઈ કરવામાં આવી છે. વિજય લાભશંકર પંડયાએ તેમના ભાણેજ અને પાડોશીના બે સંતાનો સહિત ત્રણ વ્યક્તિ ગુમ થયા હોવાની ફરિયાદ કરી હતી. તેમની વિગતો ચકાસતા આ બાબત ખોટી જણાતાં આ વ્યકિત વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં

આ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકાશે

આમ છતાં હજુ પણ કોઈ વ્યક્તિની ભાળ આગ દુર્ઘટના પછી મળતી ન હોય અને તેમના પરિવારજનોને શંકા હોય તો રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ફોન નંબર- 83209 65606 , 281 245 7777પર તથા SITના અધ્યક્ષ ભરત બી. બસીયા, મદદનીશ પોલીસ કમિશનર, ક્રાઈમ, રાજકોટ શહરના મો.નં. 9033690990, SITના સભ્ય એમ.આર.ગોંડલિયા, પો.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.9687654989, એસ.એમ.જાડજા, પો.ઇન્સ., બીડીવીજન પો.સ્ટ. ના મો.નં.9714900997, આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-2ના મો.નં.9825855350, ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.8000040050, ડીસીબી પો.સ્ટે.નં.0281 2444165, રાજકોટ તાલકા પોલીસ સ્ટેશનના નં.0281 2563340 તથા રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના નં. 0281 2547777(100)નો સંપર્ક કરવા જાહેર જનતાને અનરોધ કરવામાં આવ્યો છે. 


Google NewsGoogle News