Get The App

પહલગામ આતંકવાદી હુમલાનો ગુજરાતભરમાં વિરોધ, સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ, પોલીસ તંત્ર ઍલર્ટ

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
પહલગામ આતંકવાદી હુમલાનો ગુજરાતભરમાં વિરોધ, સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ, પોલીસ તંત્ર ઍલર્ટ 1 - image


Pahalgam terrorist attack 2025: કાશ્મીરના પ્રવાસે ગયેલા નિર્દોષ 28 સહેલાણીઓને આતંકવાદીઓ ગોળી મારી દીધી હતી. આંતકી હુમલાની ઘટનાને લઈ રાજ્યભરમાં ભારે આક્રોશ છે. આ કાયરતા પૂર્ણ હુમલાને વખોડી આંતકીઓને મોતને ઘાટ ઉતારવા અને મૃતકોને સન્માનભેર શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો રાજ્યભરમાં બે દિવસથી યોજાઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. મોડાસા ખાતે ગુરુવારે વીએચપી દ્વારા નગરના ચાર રસ્તે પૂતળા દહન કાર્યક્રમ યોજી ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો. જ્યારે આજે અરવલ્લી જિલ્લાના હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, મોડાસા-ભિલોડામાં વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાતાં પોલીસ તંત્ર ઍલર્ટ કરાયું હતું. 

પહલગામ આતંકવાદી હુમલાનો ગુજરાતભરમાં વિરોધ, સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ, પોલીસ તંત્ર ઍલર્ટ 2 - image

સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ સહિતના શહેરોમાં વહેલી સવારથી બજારો બંધ જોવા મળ્યા હતા. આ તરફ મોરબી અને મહિસાગર જિલ્લાના વીરપુરમાં સજ્જડ બંધ પાળી આતંકવાદીનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે. વિરપુર તાલુકાના હિન્દુ તેમજ મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. મોરબીમાં વેપારીઓ અને હિંદુ સંગઠનો દ્વારા મૌન રેલી પણ યોજવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડવામાં આવ્યો હતો અને સાથે જ મોરબીની દુકાનોમાં “ધર્મ જોઈને સમાન ખરીદો, આ હિન્દુની દુકાન છે” જેવા પોસ્ટરો લાગ્યા હતા.



પહલગામ આતંકવાદી હુમલાનો ગુજરાતભરમાં વિરોધ, સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ, પોલીસ તંત્ર ઍલર્ટ 3 - image

સુરતમાં નીકળી આંતકવાદની અંતિમયાત્રા

કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર કરવામાં આવેલા કાયરતા પૂર્વકના આંતકી હુમલામાં 28 નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આંતકવાદની અંતિમયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. આ આંતકવાદની અંતિમયાત્રા સરદાર કોમ્પલેક્ષથી શરુ કરી સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી હતી. 

પહલગામ આતંકવાદી હુમલાનો ગુજરાતભરમાં વિરોધ, સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ, પોલીસ તંત્ર ઍલર્ટ 4 - image

જેમાં લોકો દ્વારા આંતકવાદના પૂતળાને ચંપલ મારી, લાતો મારી વિવિધ પ્રકારે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અંતિમયાત્રા સીતાનગર ચોક ખાતે પહોંચતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવલિયા તેમજ શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા, ચેતનભાઈ રાદડિયા, સંજયભાઈ ડાવરા, રાજુભાઈ ભાલાળા, સહિત કોંગ્રેસ કાર્યકરો દ્વારા આંતકવાદના પૂતળાને બ્રિજ ઉપરથી ફાંસીએ લટકાવી જાહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પહલગામ આતંકવાદી હુમલાનો ગુજરાતભરમાં વિરોધ, સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ, પોલીસ તંત્ર ઍલર્ટ 5 - image

સાબરકાંઠા અને અરવલ્લીમાં વિરોધ, ઇડર, વડાલી, વિજયનગરના બજારો સજ્જડ બંધ 

ગુરુવારે ઇડરના તમામ વેપારી અને લારી ગલ્લા ઍસોસિયેશને સજ્જડ બંધ પાડી આતંકીઓ સામે આકરા પગલાં લેવા માંગ કરી હતી. શહેરમાં મેડિકલ જેવી આવશક્ય સેવા સિવાયના તમામ ધંધા રોજગાર્થીઓ સ્વંયભુ બંધમાં જોડાયા હતા. શહેરના હિન્દુ સંગઠનો અને વેપારીઓએ મળી સાંજે આતંકવાદીઓનું પૂતળા દહન કરી કેન્ડલ માર્ચ યોજી હતી. લોકોએ આતંકીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. આ બંધ વચ્ચે માત્ર આરોગ્ય સેવા જેવી આવશક્ય સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. દરમિયાન ઇડરના દરામલી ગામે પણ આતંકી ઘટનાના વિરોધમાં બંધ પાળ્યો હતો. 

પહલગામ આતંકવાદી હુમલાનો ગુજરાતભરમાં વિરોધ, સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ, પોલીસ તંત્ર ઍલર્ટ 6 - image

જયારે વડાલી શહેર ગુરુવારે સ્વયંભુ સજ્જડ બંધ રહ્યું હતું જે હિન કૃત્ય બદલ પાલિકા નજીક ધોરીમાર્ગ પર પાકિસ્તાનના ઝંડા ચીતરી અને પુતળા દહન કરી હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદી હુમલાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. નિર્દોષ પ્રવાસીઓના મોતને લઈ વિજયનગર વેપારી મંડળ, એસોસિએશન અને લારી ગલ્લા પાથરણાવાળા તરફથી સ્વયંભુ બંધ રાખવાની જાહેરાત કરી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાયના તમામ રોજગાર ધંધા સહિત બજારો બંધ રાખવામાં આવ્યા હતા. 

પહલગામ આતંકવાદી હુમલાનો ગુજરાતભરમાં વિરોધ, સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ, પોલીસ તંત્ર ઍલર્ટ 7 - image

આતંકવાદી હુમલાના વિરોધમાં આજે (શુક્રવાર) ખેડબ્રહ્વામાં સંપૂર્ણપણે બજાર બંધ રાખીને શહેરમાં રેલી યોજીને તંત્રને આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત તલોદ અને હરસોલમાં શુક્રવારે (આજે) બજારો સદંતર બંધ પાડવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષ અને તલોદ વેપારી સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે.  


Tags :