અંકલેશ્વરના વેપારીએ ભેજું વાપર્યું! બુલડોઝર ચાલવાના ડરથી બિલ્ડિંગની ઉપર બનાવી દીધી મોદી-યોગીની મૂર્તિ

ગુજરાતમાં એક ભંગારના વેપારીએ પરવાનગી વિના વધારાનો માળ બાંધ્યો હતો

ગેરકાયદે બાંધકામની ફરિયાદ પર, તેણે તોડફોડની કાર્યવાહીથી બચવા માટે છત પર રામ મંદિર બનાવ્યું, જેના દ્વારપાલ પીએમ સીએમ છે

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
અંકલેશ્વરના વેપારીએ ભેજું વાપર્યું! બુલડોઝર ચાલવાના ડરથી બિલ્ડિંગની ઉપર બનાવી દીધી મોદી-યોગીની મૂર્તિ 1 - image


Statue of PM Modi at Ram Mandir: તમે લોકોને ગેરકાયદે બાંધકામ બચાવવા માટે તમામ પ્રકારની યુક્તિઓ અપનાવતા જોયા હશે. પરંતુ ગુજરાતના એક વ્યક્તિએ જે કર્યું તે જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે. આ વ્યક્તિએ ગેરકાયદેસર જમીન પર રામ મંદિર બનાવ્યું છે અને દ્વારપાલ તરીકે પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની મૂર્તિઓ સ્થાપિત કરી છે. આ ભંગારના વેપારીનું નામ મોહનલાલ ગુપ્તા છે. ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (BAUDA)ના અધિકારીઓ તેના ગેરકાયદે બાંધકામ પર નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં બુલડોઝર ચાલવાના ડરથી ગુપ્તાએ હવે રામ મંદિરની સ્થાપના કરી છે. જેમાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ રાખવામાં આવી છે. જ્યારે પીએમ મોદી અને સીએમ યોગીને તેના દ્વારપાળ બનાવવામાં આવ્યા છે.

વેરહાઉસની ટોચ પર બાંધ્યું મંદિર 

ઉત્તર પ્રદેશના રહેવાસી મોહનલાલ ગુપ્તાએ ગયા વર્ષે બિલ્ડિંગમાં વધારાનો માળ બાંધ્યો હતો. તેમજ આ ગેરકાયદે ભંગારના વેરહાઉસની ટોચ પર એક મંદિર પણ બાંધવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ગડખોલ ગામની જનતા નગર સોસાયટીમાં રહેતા મનસુખ રાખસિયાની ફરિયાદને પગલે BAUDAના અધિકારીઓએ બિલ્ડીંગનું નિરીક્ષણ કર્યા બાદ ભંગારના વેપારીએ બચવા માટે આ યુક્તિ કરી હતી. આ મંદિર ગેરકાયદેસર જમીન પર બાંધવામાં આવ્યું હતું અને કોઈપણ કાર્યવાહીથી બચવા માટે ગેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. પરંતુ આ પછી વિવાદ વધુ વકર્યો છે.

કોઈપણ કાર્યવાહીથી બચવા માટે કર્યું આ કામ 

વેરહાઉસની ટોચ પર બાંધવામાં આવેલ મંદિર અંગેની ફરિયાદો બાદ, BAUDA અધિકારીઓએ મંગળવારે સ્થળની મુલાકાત લીધી હતી અને જાણવા મળ્યું હતું કે મોહનલાલે પરવાનગી લીધા વિના વધારાનો માળ બાંધ્યો હતો. તેમજ ગેરકાયદેસર મંદિર બાબતેની કોઈપણ કાર્યવાહીથી બચવા માટે ગેટ પર પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. 

BAUDA દ્વારા કરવામાં આવી તપાસ 

BAUDAએ હવે તેમને જરૂરી દસ્તાવેજો જમા કરાવવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. જો કે,  મોહનલાલના જણાવ્યા મુજબ, તેણે જીતેન્દ્ર ઓઝા પાસેથી ગયા વર્ષે મિલકત ખરીદી હતી, તેમજ 2012 માં ગડખોલ ગ્રામ પંચાયત પાસેથી બાંધકામની પરવાનગી લીધી હતી. ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે જે લોકો તેમની ઈર્ષ્યા કરતા હતા તેમણે આ મંદિર વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

મોહનલાલે આ બાંધકામ બાબતે જણાવ્યું આવું...

ગુપ્તાએ કહ્યું, 'મેં મિલકતમાં કેટલાક ફેરફાર કર્યા છે. કેટલાક લોકો એવા છે કે જેઓ મારાથી ઈર્ષ્યા કરે છે અને સ્ટ્રક્ચર તોડી પાડવાની ધમકી આપી રહ્યા છે. તેણે મારી પાસેથી પૈસા પણ માંગ્યા છે. તે અમારી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીથી દૂર રહેણાંક સોસાયટીમાં રહે છે. બીજી બાજુ, 11 જુલાઈ, 2023 ના રોજ નોંધાયેલી રાખસિયાની પ્રથમ ફરિયાદ મુજબ, ગુપ્તા સહિત ગામની ત્રણ રહેણાંક સોસાયટીઓમાં કથિત ગેરકાયદેસર બાંધકામ માટે 'કોઈ પૂર્વ પરવાનગી લેવામાં આવી ન હતી'. ગુપ્તાની બે માળની ઈમારત ઉપરાંત વધુ બે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

અંકલેશ્વરના વેપારીએ ભેજું વાપર્યું! બુલડોઝર ચાલવાના ડરથી બિલ્ડિંગની ઉપર બનાવી દીધી મોદી-યોગીની મૂર્તિ 2 - image


Google NewsGoogle News