ખાંભા પંથકમાં 2ની તીવ્રતાવાળો હળવો આંચકો લોકોએ અનુભવ્યો
ખાંભાના ઈંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી પંથકમાં કંપન : ગાંધીનગરના સિસ્મોલોજી વિભાગે આંચકાની પુષ્ટિ કરી
અમરેલી, :અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે 7.33 કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. આ આંચકો ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી અને આસપાસના ગામોમાં અનુભવાયો હતો.
આ પંથકમાં અચાનક આવેલા ભૂકંપના આંચકાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો. જો કે, સદનસીબે આ આંચકાને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે આ ભૂકંપની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.00 હતી અચકા નો અનુભવ થતા આ વિસ્તારના ગામોમાં ફફડાટ ફેલાયો હતો