Get The App

વિશાલાથી સરખેજ ચોકડી સુધી 1295 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે, 2027 સુધીમાં પૂર્ણ થશે કામગીરી

Updated: Mar 24th, 2025


Google News
Google News
વિશાલાથી સરખેજ ચોકડી સુધી 1295 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે, 2027 સુધીમાં પૂર્ણ થશે કામગીરી 1 - image


Vishala Circle to Sarkhej Chowkdi Over bridge : અમદાવાદના APMC માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે. આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી માટે રૂ. 1295.39 કરોડના કામની 11 માર્ચ 2024એ મંજૂરી આપવામાં આવી છે.

વિશાલાથી સરખેજ ચોકડી સુધી 1295 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે, 2027 સુધીમાં પૂર્ણ થશે કામગીરી 2 - image

માર્ગ અને મકાન વિભાગના રાજ્ય‌ મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ 10.63 કિ.મી.ના બ્રીજ બનાવવાની કામગીરી આગામી વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર લોકલ ટ્રાફીકને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ થતો હોવાથી બહારના ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જે આ બ્રીજ બનવાથી ઓછી થશે. 

વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર સિક્સ લેન એલિવેટેડ કોરિડોર તથા બંને બાજુ પાંચ માર્ગીય એટગ્રેટ રસ્તા સહિત કુલ 16 લેન સવલત ગુજરાતમાં પ્રથમ વખત ઉપલબ્ધ થશે.


Tags :