Get The App

સુરતમાં નબીરાએ બાઈક પર જતાં વેપારીને ફંગોળી નાખતાં મોત, કારમાંથી ભાજપનો ખેસ મળ્યો

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
સુરતમાં નબીરાએ બાઈક પર જતાં વેપારીને ફંગોળી નાખતાં મોત, કારમાંથી ભાજપનો ખેસ મળ્યો 1 - image


Accident in Surat: સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. શહેરના ઉધના દરવાજા ઓવરબ્રિજ પર બેફામ આવતી કારે એક બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કારમાંથી ભાજપનો ખેસ મળ્યો

મળતી માહિતી અનુસાર, શહેરના ઉધના દરવાજા ઓવરબ્રિજ પર આજે (20મી ઓક્ટોબર) વહેલી સવારે પૂરપાટ દોડતી કારે એક બાઈકને અડફેટે લીઘી હતી. જેમાં બાઈક ચાલક સંજયકુમાર (ઉં.વ.45)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે દેવ નામના કાર ચાલકની ધરપકડ કરી છે. તે દારૂના નશામાં હોવાની હાલ આશંકા છે. તેની કારમાંથી ભાજપનો ખેસ, ગ્લાસ અને સિગારેટનું પેકેટ પણ મળી આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, મૃતક સંજયકુમાર કાપડનો વેપારી હતી. તે વહેલી સવારે જોધપુરથી આવતા માતા-પિતા રેલવે સ્ટેશને લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. વેપારીના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

સુરતમાં નબીરાએ બાઈક પર જતાં વેપારીને ફંગોળી નાખતાં મોત, કારમાંથી ભાજપનો ખેસ મળ્યો 2 - image


Google NewsGoogle News