Get The App

જામનગરના બેડી વિસ્તારમાં વાઘેર યુવાન પર જૂની અદાવતના કારણે હુમલો: બે સામે ફરિયાદ

Updated: Feb 16th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરના બેડી વિસ્તારમાં વાઘેર યુવાન પર જૂની અદાવતના કારણે હુમલો: બે સામે ફરિયાદ 1 - image


જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા એજાજ અનવરભાઈ સંઘાર નામના  21 વર્ષના વાઘેર  યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બેડી વિસ્તારના જ રિઝવાન સાયચા, અને રિયાઝ સાયચા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી એઝાજ અને આરોપી રિઝવાન વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો, તેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

Tags :