કેન્દ્રીય વિદ્યાલયમાં ફસાયેલા શિક્ષકો અને પરિજનોને એનડીઆરએફે 24 કલાક બાદ રેસ્ક્યૂ કર્યા

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
કેન્દ્રીય વિદ્યાલયમાં ફસાયેલા શિક્ષકો અને પરિજનોને એનડીઆરએફે 24 કલાક બાદ રેસ્ક્યૂ કર્યા 1 - image


સમા સાવલી રોડ પરની કેન્દ્રીય વિદ્યાલયમાં ફસાયેલા શિક્ષકો અને તેમના પરિવારના 20 જેટલા સભ્યોને આખરે એનડીઆરએફે ઉગારી લીધા છે.

મંગળવારે સવારથી આ શિક્ષકો અને તેમના પરિવારજનો સ્કૂલના સ્ટાફ કવાર્ટરોમાં ફસાયેલા હતા અને પાણીની સપાટી વધતા અગાસી પર ચઢી ગયા હતા. મંગળવારે સવારથી તેઓ મદદ માંગી રહ્યા હતા.

આખરે આજે સવારે એનડીઆરએફની ટીમ બોટ લઈને સ્કૂલ ખાતે પહોંચી હતી અને તમામને સલામત સ્થળે ખસેડયા ત્યારે શિક્ષકો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.



Google NewsGoogle News