ભીલાપૂર કેનાલ પાસે માતાએ નવજાત મૃત બાળકને ત્યજી દીધું

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
ભીલાપૂર કેનાલ પાસે માતાએ નવજાત મૃત બાળકને ત્યજી દીધું 1 - image


Image Source: Freepik

ડભોઇ તાલુકામાં એક મહિલાએ પોતાના નવજાત મૃત બાળકને ભિલાપુર કુંઢેલા કેનાલ પાસે ત્યજી દીધું હતું. પોલીસે આ અંગે અજાણી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સગર્ભા મહિલાએ પ્રસૂતિ થયા બાદ બાળકને ફેંકી માતા ફરાર થઇ હોવાનું પોલીસનું માનવું છે.પોલીસે ઘટનાસ્થળે પહોચી તપાસ શરૂ કરી છે. હાઇવે પરના CCTV ચેક કરી પોલીસ દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે. બે દિવસના મૃત બાળકને પીએમ અર્થે ખસેડાયું છે. પ્રેમ પ્રકરણ કે અન્ય અનૈતિક સંબંધોને કારણે મહિલા પ્રેગનેટ થઈ હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.



Google NewsGoogle News