ગણેશ વિસર્જનમાં સુરત પોલીસના અધિકારીઓ સહિત 16 હજારથી વધુ જવાનો તહેનાત રહેશે

એસઆરપીની 11 કંપની તહેનાત રહેશે : 85 હજારથી વધુ નાની-મોટી પ્રતિમાઓનું 21 કૃત્રિમ તળાવો અને ત્રણ કુદરતી ઓવારા પર વિસર્જન કરાશે

વીતેલા વર્ષની જેમ પોલીસ મોટી મૂર્તિઓમાં જીપીએસ સિસ્ટમ રાખી તેને ટ્રેક કરશે

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ગણેશ વિસર્જનમાં સુરત પોલીસના અધિકારીઓ સહિત 16 હજારથી વધુ જવાનો તહેનાત રહેશે 1 - image


- એસઆરપીની 11 કંપની તહેનાત રહેશે : 85 હજારથી વધુ નાની-મોટી પ્રતિમાઓનું 21 કૃત્રિમ તળાવો અને ત્રણ કુદરતી ઓવારા પર વિસર્જન કરાશે

- વીતેલા વર્ષની જેમ પોલીસ મોટી મૂર્તિઓમાં જીપીએસ સિસ્ટમ રાખી તેને ટ્રેક કરશે


સુરત, : સુરતના વિવિધ વિસ્તારોમાં પ્રસ્થાપિત 85 હજારથી વધુ ગણપતિની નાની-મોટી પ્રતિમાની વિસર્જન યાત્રા આગામી મંગળવારે નીકળશે ત્યારે તે નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે સુરત પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.16 હજારથી વધુ પોલીસ જવાનો સાથે એસઆરપીની 11 કંપની તહેનાત રહેશે.વીતેલા વર્ષની જેમ પોલીસ મોટી મૂર્તિઓમાં જીપીએસ સિસ્ટમ રાખી તેને ટ્રેક કરશે.

સુરતવાસીઓનો મનગમતો ગણેશોત્સવ આ વર્ષે ભારે ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે.સુરતમાં અંદાજીત 85 હજારથી વધુ શ્રીજીની નાનીમોટી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે.જોકે, સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ આગામી મંગળવારે યોજાનારી ગણેશ વિસર્જન યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે સુરત પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.વિસર્જન યાત્રા અંગે માહિતી આપતા સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું કે સુરત પોલીસના કમિશનર, એક સ્પેશ્યલ પોલીસ કમિશનર, ત્રણ જોઈન્ટ પોલીસ કમિશનર, 16 ડીસીપી, 34 એસીપી, 130 પીઆઈ, 320 પીએસઆઈ, શહેર પોલીસના 6800 જવાનો, 7000 હોમગાર્ડના જવાનો, 1600 ટીઆરબીના જવાનો મળી કુલ 15905 પોલીસકર્મી તૈનાત રહેશે.તેમની મદદમાં એસઆરપીની 11 કંપની રહેશે.

ગણેશ વિસર્જનમાં સુરત પોલીસના અધિકારીઓ સહિત 16 હજારથી વધુ જવાનો તહેનાત રહેશે 2 - image

પાંચ ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન અલગ અલગ ઝોન દીઠ 21 કૃત્રિમ તળાવોમાં અને પાંચ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિનું વિસર્જન હજીરા, મગદલ્લા અને ડુમસમાં ત્રણ કુદરતી ઓવારા ઉપર કરવામાં આવશે.પોલીસે વિસર્જન યાત્રા માટે 320 ધાબા પોઈન્ટ, 400 ડીપ પોઈન્ટ બનાવ્યા છે.પોલીસ 7 ડ્રોન કેમેરા, 125 વિડીયો કેમેરા, 900 બોડીબોર્ન કેમેરાથી વિસર્જન યાત્રા ઉપર ચાંપતી નજર રાખશે.કોઈપણ સ્થિતીને પહોંચી વળવા માટે 7 કવીક રીસ્પોન્સ ટીમ, 10 ક્રાઈમ બ્રાન્ચની ટીમ, 4 એસઓજીની ટીમ તૈયાર કરવામાં આવી છે.7 વ્રજ વાહનો અને એક વરુણ વાહન પણ સ્ટેન્ડ બાય રહેશે.આ વર્ષે 15 ફૂટથી વધુ ઊંચાઈની અંદાજીત 150 મૂર્તિઓ હોય તેમના વિસર્જન માટે રૂટ પર અડચણ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી છે.પોલીસ વીતેલા વર્ષની જેમ આ વર્ષે પણ મોટી મૂર્તિઓમાં જીપીએસ સિસ્ટમ રાખી તેને ટ્રેક કરશે.ઉપરાંત, સ્થાનિક પોલીસનો એક કર્મચારી તેમની સાથે રહેશે.પોલીસે અત્યાર સુધીમાં 2750 શકમંદો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા છે.


Google NewsGoogle News