રાજકોટના ઈતિહાસમાં પહેલીવાર 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી, સાગઠિયાની સાચી સંપત્તિ કેટલી?

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
Rajkot Town Planning Officer (TPO) Mansukh Sagathia


Mansukh Sagathia Investigation: ટીઆરપી ગેમ ઝોન (TRP Game Zone) અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા (Mansukh Sagathia) પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012ની સાલથી લઈ 2024ની સાલ દરમિયાન સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ.10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતાં ગુનો દાખલ કર્યો હતો.

સાગઠિયાની આવક કરતા સંપત્તિ વધુ 

જે-તે વખતે એસીબીએ (ACB) તપાસ કરતાં ભૂ તપાસ સાગઠિયા અને તેના પરિવારના નામે અનેક મિલકતો મળી આવી હતી. જેમાં સોખડા અને ગોમટામાં બે પેટ્રોલપંપ, સોખડામાં ત્રણ ઈન્ડસ્ટ્રીયલ ગોડાઉન, ગોમટામાં નવી બંધાતી હોટેલ, ફાર્મ હાઉસ, ખેતીની જમીન ઉપરાંત ગોંડલના ચોરડીમાં પણ ખેતીની જમીનનો સમાવેશ થાય છે. 

રાજકોટ અગ્નિકાંડ: મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો મળ્યો, રૂ. 5 કરોડ કેશ, 15 Kg સોનું જપ્ત

આ ઉપરાંત શાપરના ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ગેસ ગોડાઉન, પડધરીના મોવૈયામાં પ્લોટ, યુનિ. રોડ પર અનામિકા સોસાયટીમાં નવા બંધાતા બંગલો, માધાપરની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ, અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં બે ફલેટ, કાર સહિતના 6 વાહનોનો પણ સમાવેશ થાય છે.

સાગઠિયાએ 8 વખત કર્યો વિદેશ પ્રવાસ

એસીબીની તપાસમાં સાગઠિયાએ 8 વખત વિદેશ પ્રવાસ કર્યાનું પણ બહાર આવ્યું હતું. એસીબીએ સાગઠિયાની અપ્રમાણસર મિલકતોની કિંમત રૂ.10.55 કરોડ આંકી હતી. વાસ્તવમાં આ કિંમત જંત્રી મુજબ આંકવામાં આવી હતી. જો બજાર કિંમત ગણાય તો આ તમામ મિલકતોની કિંમત અનેકગણી વધે તેમ છે. 

રાજકોટ અગ્નિકાંડ : સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા સામે વધુ એક ફરિયાદ, ત્રણ સ્થળે દરોડા

મનસુખ સાગઠિયા (Mansukh Sagathia) એ અત્યાર સુધીમાં કરોડોની મિલકતો એકત્રિત કરી લીધી છતાં એસીબીને તેની કોઈ ગંધ પણ ન આવી તે બાબત પણ હવે શંકા ઉપજાવે તેવી છે. આ પ્રકરણમાં ઈન્કમટેક્ષ વિભાગ ઝુકાવે તેવી સંભવના નકારાતી નથી.

રાજકોટના ઈતિહાસમાં પહેલીવાર 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી, સાગઠિયાની સાચી સંપત્તિ કેટલી? 2 - image


Google NewsGoogle News