Get The App

માંડવી દરવાજાના પિલરમાંથી ફરી એક વખત પોપડા ખર્યા

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
માંડવી દરવાજાના  પિલરમાંથી ફરી એક વખત પોપડા ખર્યા 1 - image

વડોદરાઃ વડોદરા શહેરના મધ્યમાં આવેલી ૪૦૦ વર્ષ જૂની અને વડોદરાની આગવી ઓળખ સમા માંડવી દરવાજાની ઈમારતના કાંગરા ખરવાનું યથાવત છે.આજે પણ દરવાજાના પિલરના ફરી પોપડા ખર્યા હતા અને આ પિલરને લીલા રંગની નેટ વડે ઢાંકી દેવામાં આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે માંડવીની ઈમારતને થઈ રહેલા નુકસાનની શરુઆત તાજેતરમાં  એક પિલરમાંથી ખરી રહેલા પોપડાઓથી થઈ હતી.ઉપરાંત દરવાજાની દિવાલોમાં તિરાડો જોવા મળી હતી.જેના કારણે લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાયું હતું.એ પછી હેરિટેજ ટ્રસ્ટના પ્રમુખ અને સભ્યે મહારાણી રાધિકારાજે ગાયકવાડને સાથે રાખીને ગત સપ્તાહે માંડવી દરવાજાની મુલાકાત પણ લીધી હતી.હેરિટેજ ટ્રસ્ટ દ્વારા દરવાજાનું રિસ્ટોરેશન કેવી રીતે કરવું જોઈએ તેનો એક પ્રાથમિક અહેવાલ કોર્પોરેશનને સુપરત કરાયો છે.

જોકે હજી સુધી કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે દરવાજાના રિસ્ટોરેશનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને બીજી તરફ માંડવીની હાલત દિવસે ને દિવસે વધારે કથળી રહી છે.આજે પણ  પિલરના પોપડા ખર્યા હતા.

હેરિટેજ ટ્રસ્ટના નિષ્ણાતો પણ મત વ્યક્ત કરી ચૂકયા છે કે, માંડવીની ઈમારતને વહેલી તકે સમારકામની જરુર છે.જો   આ ઈમારતને સ્થિરતા નહીં અપાય તો તેની સ્થિતિ ચોમાસાના વરસાદ અને ભેજના કારણે વધારે ખરાબ થશે.


Tags :