જામનગર શહેર-જિલ્લામાંથી ગુમ થવાનો સિલસીલો યથાવત
Image Source: Freepik
જામનગરમાંથી એક પરિણીતા અને મોટી ખાવડીમાંથી શ્રમિક લાપત્તા
જામનગર, તા. 23 ઓક્ટોબર 2023 સોમવાર
જામનગર જિલ્લામાં વ્યકિત ગૂમ થવાનો સિલસીલો યથાવત રહેવા પામ્યો છે. જામનગર શહેરમાંથી એક મહિલા અને મોટી ખાવડીમાંથી એક શ્રમિક લાપત્તા થયા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગર શહેરના ઢીંચડા રોડ પર રવિ પાર્ક ટાઉનશીપ વિસ્તારમાં રહેતા મુલભાઈ જગદીશભાઈ ચાંદ્રા નામની ૪૦ વષિ’ય પરિણીતા ગત તા. ૧૬.૧૦ નારોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કાંઈ પણ કહ્યા વગર ગુમ થઈ જતાં સૌ પ્રથમ તેમના સગા સંબંધી તેમજ પરિચિતોમાં તપાસ કરતાં તેની કોઈ બાળ ન મળતાં સીટી સી ડીવીઝન પોલીસમાં ગુમ નોંધ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. શહીરે મધ્યમ-મજબુત બાંધાના અને વાને ઘઉવણી છે અને જમણા હાથમાં કલાઈ પાસે અંગ્રેજીના એક- ૮ જેવું ઈન્ફિનિટીના સાઈન માર્ક જેવું ટેટુ ચિતરાવેલ છે ઉપરોકત વર્ણનવાળા મહિલા કોઈને ભાળ મળે તો સિટી સી ડીવીઝન પોલીસ મથકના ફોન નં.૦૨૮૮-૨૫૫૦૮૦૫ અથવા તપાસનીસ અધિકારી કે.પી. ઠાકરિયાના મો. નં. ૮૨૩૮૮ ૭૭૯૭૭ પર સંપર્ક કરવા જણાવાયું છે.
જયારે જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં રહેતા મુળ બિહાર જિલ્લાના સુરેન રાય ભભીખન રાય માદવ નામના ૪૩ વર્ષિય યુવાન પર ગત તા. ૮.૯ ના રોજ બપોરના અરસામાં ગામમાં આંટો મારવા જાઉ છું તેમ કહી ગૂમ થઈ જતાં તેના ભાઈ અનિલકુમારે મેઘપર (પડાણા) પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ગુમ નોંધ નોંધી તપાસ હાથ ધરી છે.