દ્વારકામાં સામૂહિક આપઘાત: એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેર ગટગટાવ્યું
દ્વારકાના ધારાગઢમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો. આશંકા છે કે પરિજનોએ એકસાથે જીવન ટૂંકાવ્યું છે.
ઝેરી દવા ગટગટાવી
મૂળ જામનગરમાં એક જ પરિવારના ચાર સભ્યોએ દ્વારકનામાં ગામમાં સૂમસામ જાગ્યાએ જઈને ઝેરી દવા ગટગટાવી હતી. ચારેયનો મૃતદેહ મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોમાં ચકચાર મચી હતી.
એકસાથે આપઘાત કરવા પાછળ હજુ સુધી કોઈ જ કારણ સામે આવ્યું નથી. આ દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મૃતકોના નામ
શોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉં.વ.42),
લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉં.વ.42),
જીગ્નેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉં.વ.20),
કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉં.વ.18)
બે વાહનો મળી આવ્યા
પ્રાથમિક તપાસ અનુસાર તમામ મૃતકો હાલ જામનગરમાં રહેતા હતા પરંતુ મૂળ લાલપુર તાલુકાના વતની હતા. ઘટનાસ્થળેથી એક્ટીવા અને બાઇક પણ મળી આવ્યું છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં પરિજનોના સગા-સંબંધી હોસ્પિટલ દોડી આવ્યા હતા. ધુંવા પરિવારે આટલું મોટું શા માટે ભર્યું તેના કારણો જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.