Get The App

માંજલપુરના મકાનમાં લગ્ન પ્રસંગ દરમિયાન આગ લાગતા અફરાતફરી, જાનૈયાઓનો બચાવ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
માંજલપુરના મકાનમાં લગ્ન પ્રસંગ દરમિયાન આગ લાગતા અફરાતફરી, જાનૈયાઓનો બચાવ 1 - image


Vadodara Fire Incident : વડોદરામાં માજલપુર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન આગ લાગતા જાનૈયાઓનો બચાવ થયો હતો. પરંતુ મોટાભાગની ઘરવખરી ખાક થઈ ગઈ હતી.

માંજલપુરની શંકર બાગ સોસાયટીમાં રહેતા એક યુવકના લગ્ન હોવાથી એક સપ્તાહથી દિલ્હીથી સગા સંબંધી આવ્યા હતા. આજે સવારે જાન જવાની તૈયારી હતી તે દરમિયાન જાનૈયાઓ નીચેના ફ્લોર પર હતા ત્યારે ઉપરના માળે આગ લાગી હતી.

નજીકમાં રહેતા સાસુ વહુએ આગ જોતા બૂમરાણ મચાવી હતી. જેથી 50થી વધુ જાનૈયાઓ બહાર આવી જતા બચાવ થયો હતો. સ્થાનિક લોકોએ આગ બુજાવવા માટે પ્રયત્ન કર્યો હતો. ફાયરબ્રિગેડ આવી જતા થોડીવારમાં કાબુમાં લઈ લેવામાં આવી હતી. જોકે આગમાં ઉપરના માટે મૂકેલી મોટાભાગની ઘરવખરી ખાક થઈ ગઈ હતી.

બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી.


Google NewsGoogle News