મકરપુરામાં એકલા રહેતા 81 વર્ષના વૃદ્ધાના ઘરમાંથી 1.80 લાખના દાગીનાની ચોરી

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
મકરપુરામાં એકલા રહેતા 81 વર્ષના વૃદ્ધાના ઘરમાંથી 1.80 લાખના દાગીનાની ચોરી 1 - image


Image Source: Freepik

મકરપુરામાં એકલા રહેતા 81 વર્ષના મહિલાના ઘરમાંથી પોણા બે લાખના દાગીના ચોરી થઈ ગયા હતા જે દાગીના કામવાળી બાઈએ ચોરી કર્યા હોવાની શંકા રાખી તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મકરપુરા ભવન સ્કૂલ ની સામે પ્રતાપ ટાવરમાં રહેતા 81 વર્ષના મંજુબેન ભુપેન્દ્રભાઈ ચતુર્વેદી ઘરકામ કરે છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા મકાનમાં કામવાળી બહેન સવિતાબેન રાઠોડ રહેવાસી દંતેશ્વર છેલ્લા ત્રણ વર્ષથી આવે છે મેં મારા સોનાના દાગીના બેડરૂમની તિજોરીમાં ગત ત્રીજી માર્ચે મૂક્યા હતા 22મી માર્ચે બપોરે 12:00 વાગે જોતા તે દાગીના મળી આવ્યા ન હતા જે દાગીના સવિતાબેન રાઠોડ એ ચોરી કરી હોય તેવી મને શંકા છે જેથી મેં મારી તમામ છોકરીઓને અંગે જાણ કરી હતી. મારા ઘરમાં થી સોનાના બે કંગન બે ચેન મંગળસૂત્ર મળી કુલ રૂપિયા 1.80 લાખના દાગીના ચોરી થયા છે. જે કામવાળી બાઈ એ ચોરી કર્યા હોવાની મને શંકા છે.


Google NewsGoogle News