જામનગરની ટ્રાફિક શાખા અને આરટીઓ કચેરી દ્વારા હાઇવે રોડ પરના અકસ્માતો ઘટાડવા માટેની ગઈ રાત્રે મેગા ડ્રાઇવ યોજાઈ
જામનગર શહેરમાં અને ખાસ કરીને હાઈવે રોડ પર થતા અકસ્માતો ઘટાડવાના ભાગરૂપે જામનગરની ટ્રાફિક શાખા તેમજ આરટીઓ કચેરી દ્વારા લોકોને સમજ આપવા માટેની વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત્રે ટ્રાફિક પોલીસ અને આરટીઓ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે જન જાગૃતિ લાવવા ના ભાગ રૂપે રોડ સલામતી એવરનેસ લાવવા ડ્રાઈવ યોજવામાં આવી હતી, અને ઉચ્ચ પોલીસ અધિકારી અને આરટીઓ અધિકારીઓ દ્વારા રાત ઉજાગરા કરવામાં આવ્યા હતા.
જામનગરની ટ્રાફિક શાખા ની પોલીસટિમ અને આરટીઓની ટીમ દ્વારા મોડી રાત્રીએ સમર્પણ સર્કલ નજીક વધતા જતા અકસ્માત ના બનાવો ને ધ્યાનમાં લઈ લોકોમાં વાહન ચલાવવાના મુદ્દે એવરનેસ લાવવાના ભાગ રૂપે વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી.
વાહન ચાલકો ને સલામતી સાથે વાહનો ચલાવવા અને જગૃતી દાખવવામાટે ટ્રાફિક અવેરનેશ સંદર્ભે પત્રિકા આપી ખાસ ડ્રાઈવ યોજાઈ હતી. આ વેળાએ જામનાગરના નવ નિયુક્ત એ.એસ.પી. અક્ષેસ ઈંજીનીયર, ટ્રાફિક શાખા ના પી.આઈ. એમ.બી. ગજ્જર તથા આરટીઓ ઈન્સ્પેક્ટર એચ.કે. પ્રજાપતિ સહિતના અધિકારીઓ દ્વારા ડ્રાઈવ યોજી લોકોને સલામતી રીતે ડ્રાઈવિંગ માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા આગામી દિવસોમાં પોલીસ દંડનીય કાર્યવાહી હાથ ધરશે. ખાસ કરીને હાઈવે રોડ પરથી ટુ-વ્હીલર માં નિકળનારા લોકોએ હેલ્મેટ ફરજિયાત પણે પહેરવાની રહેશે, તેવી સમજ આપવામાં આવી હતી. અને હેલ્મેટ પહેર્યા વિના નીકળનારા વાહન ચાલકો, તેમજ ટ્રાફિક નિયમનનો ઉલ્લંગન કરનારા વાહન ચાલકો સામે કડક હાથે દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.