જામનગર મહાનગર પાલિકાની ફૂડશાખા દ્વારા કેરીના ૧૫ વિક્રેતાઓના ગોદામ પર વ્યાપક દરોડા

Updated: May 20th, 2024


Google NewsGoogle News
જામનગર મહાનગર પાલિકાની ફૂડશાખા દ્વારા કેરીના ૧૫ વિક્રેતાઓના ગોદામ પર વ્યાપક દરોડા 1 - image


-જામનગર શહેરની જુદી જુદી બે પેઢીમાંથી ૩૪ કિલો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કરાવાયો

-જામનગર ની ગ્રેઇન માર્કેટ સહિતની જુદી જુદી ૬ પેઢીમાંથી મસાલાના સેમ્પલ મેળવી પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાવાયા

 જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને શહેરના જુદા જુદા ૧૫ જેટલા કેરીના વિક્રેતાઓના ગોડાઉન પર ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર શહેરના જુદા જુદા બે ફૂડ પાર્લરમાં ચકાસણી દરમિયાન ૩૪ કિલો જેટલો અખાદ્ય સામગ્રી નો જથ્થો મળી આવતાં તેનો સ્થળ પર નાશ કરાવાયો હતો. ઉપરાંત અન્ય જુદી જુદી ૬ પેઢીમાંથી મરચા પાવડર સહિતના નમુના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ વિસ્તારમાં માંથી કુલ ૬ ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરી આંણદ ખાતે મોકલવામાં આવ્યા. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવ્યેથી ફૂડ સેફટી અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જેમાં કપીલ એજન્સી કિચન કીંગ મસાલા (એવરેસ્ટ બ્રાન્ડ) લાખોટા તળાવ પાસે, વાસુદેવ સ્ટોર ચણા મસાલા કે.વી રોડ, બાલાજી માર્કેટિંગ પનીર ટીક્કા મસાલા મિક્ષ્ (સુહાના બ્રાન્ડ) સ્વામિનારાયણ નગર , ઠક્કર સેલ્સ એજન્સી પાવભાજી મસાલા (બાદશાહ બ્રાન્ડ) ગ્રેઇન માર્કેટ, જેન્તીલાલ એન્ડ બ્રધર્સ- ધાણાજીરું પાવડર (હાથી બ્રાન્ડ) ગ્રેઇન માર્કેટ, મધુસુદન મસાલા લીમીટેડ મરચું પાવડર (ડબલ હાથી બ્રાન્ડ) હાપા વગેરેનો સમાવેશ થાય છે.

જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તાર મા આવેલાં ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ, વગેરે સ્થળો એ રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા. તેમજ પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા અંગે સુચના આપવામાં આવી હતી.

જેમાં જય ભોલે રેસ્ટોરન્ટ નાગનાથ ગેઈટ ૧૦ કિલો મંચુરિયન, ૨ કિલો આટા, ૧ કિલો બોઈલ શાકભાજી , ૩કિલો નૂડલ્સ , ૫ કિલો સોસનો નાશ કરાયો હતો.

આ ઉપરાંત રાજુભાઈ ઢોસાવાલા મહાપ્રભુજી બેઠક રોડ ૫ કિલો મંચુરિયન,૩ કિલો ભાત , ૪ કિલો નૂડલ્સ , ૧ કિલો ડ્રેગન પોટેટો ,વાસી જણાતા નાશ કરાવાયો હતો.

તેમજ મિથુનભાઈ તન્ના (ગૃહ ઉધોગ અટલ રેસીડેન્સી આવાસ (લાલવાડી ) દિ-૪ મા વેપાર રેસીડન્સી વિસ્તારમાંથી ઇન્ડસ્ટ્રીયલ એરિયા મા લઇ જવા નોટીશ અપાઈ હતી.

જ્યારે મહાવીર કુલ્ફી આઈસક્રીમ હરિયા સ્કુલ બાજુમાં સાફ સફાઈ અને સ્વછતાવ જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા સૂચના અપાઈ હતી. હિતુલાલ રજવાડી હરિયા કોલેજ રોડ ને પણ જરૂરી સૂચના અપાઈ હતી.

જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર ના પંચેશ્વર ટાવર નજીક આવેલ કિશોર રગડાવાલા અને મહાલક્ષ્મી ચોક મા આવેલ દીનું મારાજ ભેલવારા નામની પેઢી લાયસન્સ ન ધરાવતી હોવાથી ફૂડ નિયમ અનુસાર ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા નોટીશ પાઠવી તે અંગે તાકીદ કરવામાં આવી હતી.

ઉનાળા ની સીઝન ને અનુલક્ષીને કેરી નું વેચાણ કરતાં વિક્રેતા ને ત્યાં રૂબરૂ ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એડલ્ટન્ટ તરીકે વપરાતું કેલ્શિયમ કાર્બાઇડ કોઈ જગ્યા એ મળી આવેલું નથી. તેમજ તમામ ગોડાઉન માલિકો ને પરમીટેડ ઇથીલીન ના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ જરૂરી સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું હતું.

જેમાં યુસુફભાઈ નુરમામદ( કેરી ગોડાઉન) મોચીસાર નો ઢાળીયો, અબ્દુલ રજાક મીરચી, યુસુફ ધાણીવારા સીદીક, યુસુફ હુસેન , યુનુસભાઈ ગની, અખ્તર લાકડાવારા- સુભાષ માર્કેટ, સાજીદ ટીટોડી, શાહિદબાબુ, સબ્બીર ખંભાળીયા વાળા, સલીમ મીરચી, સલીમ કેળાવારા, મહમદ ફારૂક, અયુબભાઇ, ઇકબાલ હાજી ગફાર- નંદીપા રોડ, અને અફજલ ટીડા નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News